એક રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ખબર પડી હતી કે પુરુષોની સરખામણીએ મહિલાઓ વધુ ગુસ્સો કરે છે. 2012થી 2021 વચ્ચે કરવામાં આવેલા ગેલઅપ વર્લ્ડ પોલમાં આ માહિતીની ખબર પડી છે. વિશ્વભરની મહિલાઓ પુરુષો કરતાં 6 ટકા વધુ ગુસ્સો કરે છે. ભારત અને પાકિસ્તાનની મહિલાઓ દુનિયા કરતાં બમણી ગુસ્સામાં છે.
આજે કામના સમાચારમાં જાણીશું કે મહિલાઓમાં તનાવ અને ગુસ્સા પાછળ કયાં કયાં કારણો છે? શું ગુસ્સો કરવો બરાબર છે કે પછી એની કોઈ સાઇડ ઇફેક્ટ્સ છે? ગુસ્સામાં મગજને કેવી રીતે શાંત કરી શકાય?
સવાલ: મહિલાઓમાં અચાનક ગુસ્સો વધવા પાછળ કયાં કાયાં કારણો જવાબદાર છે?
જવાબ: મહિલાઓને ગુસ્સો હંમેશાં આવતો જ હતો, તે ઓછી ભણેલી હતી. પરિવારના પુરુષો પર આધારિત હતી. આ કારણે તે ખૂલીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી શકતી નહોતી. જે મહિલાઓ પોતાની જાતે નિર્ણય લેતી હતી તેમના વિશે સમાજમાં સારું બોલવામાં આવતું નહોતું.
પહેલાં કરતાં આજે સ્થિતિ જુદી છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં મહિલાઓ એજ્યુકેશનમાં આગળ વધી છે, નોકરી માટે ઘરની બહાર પગ મૂક્યો છે અને આત્મનિર્ભર બની છે, જેને કારણે તેમને આત્મવિશ્વાસ મળ્યો છે. તેમની હાલત પહેલાં કરતાં આર્થિક રીતે સારી થઈ ગઈ હતી. આ જ કારણ છે કે મહિલાઓ હવે અપરાધભાવ અનુભવતી નથી, પરંતુ પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા શીખી ગઈ છે.
સવાલ : નોકરી કરવાને કારણે મહિલાઓને ગુસ્સો આવે છે?
જવાબ: ના, ગુસ્સો આવવા પાછળનું કારણ નોકરી નથી, પરંતુ અસમાનતા છે. આજે મહિલાઓ ઘરની બહાર પગ મૂકીને સારું અનુભવે છે, પરંતુ બાદમાં ઘરે આવે છે ત્યારે પુરુષો કહે છે એમ કરવું પડે છે, એને કારણે મહિલાઓને વધુ ગુસ્સો આવે છે.
ઓફિસમાંથી નીકળીને પુરુષ રિલેકસ થઈ જાય છે, પરંતુ મહિલાઓ હંમેશાં ઉતાવળમાં હોય છે, તેમના મનમાં સતત એવા વિચારો આવતા હોય છે કે ઘરે જઈને શું બનાવવું છે અને બાળકો ભણ્યાં હશે કે નહીં. આ જવાબદારીને કારણે તે કંટાળી જાય છે અને ગુસ્સો કરવા લાગે છે.
સવાલ : ઉપર આપવામાં આવેલા બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ શું છે?
જવાબ : આ રીતે સમજીએ...
સવાલ: માણસમાં ગુસ્સો કેમ આવે છે?
જવાબ : લાખો વર્ષોની ઉત્ક્રાંતિ પછી આ 3 કારણથી મનુષ્યને ગુસ્સો આવે છે
સવાલ : ગુસ્સા અને તનાવથી શું-શું નુકસાન થાય છે?
જવાબ: ગુસ્સાથી ફક્ત માનસિક રીતે નુકસાન નથી થતું, પરંતુ શરીરને પણ નુકસાન થાય છે.
શારીરિક અસર
માનસિક અસર
સવાલ : જો ગુસ્સો કરવામાં ન આવે તો શું નુકસાન થાય છે?
જવાબ : જો પુરુષો ગુસ્સો વ્યક્ત કરે તો એ બરાબર છે. તો બીજી તરફ સાથે જ વર્ષો સુધી મહિલાઓના ગુસ્સાની અવગણના કરવામાં આવી રહી હતી. જ્યારે પણ મહિલાઓ ગુસ્સે થાય છે ત્યારે તેમને કહેવામાં આવે છે કે સ્ત્રીઓ આવું કરતી નથી. આ કારણે મોટા ભાગની મહિલાઓ ગુસ્સો વ્યક્ત કરી શકતી નથી. ઘણી વખત એવું જોવા મળે છે કે મહિલાઓ ગુસ્સાની વચ્ચે જ રડી પડે છે.
તો ગુસ્સો કરવામાં ન આવે તો પણ અનેક બીમારીઓ થઈ શકે છે. ગુસ્સો ન કરવાને કારણે સ્ટ્રેસ, બ્લડપ્રેશર અને હાર્ટને લગતી અનેક બીમારીઓ થઈ શકે છે. આ સિવાય અનિદ્રા, ચિંતા અને ડિપ્રેશન પણ થઈ શકે છે. જે લોકો લાંબા સમય સુધી પોતાનો ગુસ્સો દબાવી રાખે છે તેઓ ડ્રગ્સનો વધુપડતો ઉપયોગ કરે છે તો તેનો સ્વભાવ વધુ ખર્ચાળ થઇ જાય છે.
સવાલ: ગુસ્સો આવે છે ત્યારે પોતાની જાતને નુકસાન પહોંચાડવાને બદલે વિરોધ કેવી રીતે કરી શકાય?
જવાબ : 'તમે હંમેશાં આવું કરો છો...'ને બદલે 'હું ગુસ્સે છું, કારણ કે...' જેવાં વાક્યોનો ઉપયોગ કરો. આમ કરવાથી સામેવાળી વ્યક્તિને તમારા ગુસ્સાનું સાચું કારણ મળશે.
ઘણી વખત એવું બને છે કે ગુસ્સાનું કારણ વ્યક્તિને કહેવાની સ્થિતિ હોતી નથી. આ સ્થિતિમાં કોઈ મિત્ર અથવા પરિવારના સભ્યનો હાથ પકડો અને તમારા હૃદયની બધી વાતો કહો. લાગણીઓ વ્યક્ત કરવી ખૂબ જરૂરી છે.
ઘણી વખત પરિસ્થિતિ એવી હોય છે કે તમને ગુસ્સે કરવામાં કે સમજાવવામાં કોઈ ફાયદો થતો નથી. આ સ્થિતિમાં તમારું મનગમતું કામ કરો અને સોશિયલ મીડિયાથી દૂર રહો.
સવાલ : ગુસ્સામાં મગજને શાંત કેવી રીતે રાખી શકાય છે?
જવાબ: ગુસ્સે થવું એ સામાન્ય વાત છે અને એને વ્યક્ત કરવામાં કોઈ નુકસાન નથી. સમસ્યા એ છે કે જ્યારે ગુસ્સો મર્યાદાથી વધી જાય છે, જો તમને લાગે છે કે તમે થોડા સમય માટે ગુસ્સે થવા લાગ્યા છો. એનાથી તમારા રોજિંદા જીવન પર ખરાબ અસર પડી રહી છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતો પર ધ્યાન આપવાનું શરૂ કરો. જેમ કે...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.