• Gujarati News
  • Utility
  • Working In Night Shift Causes Many Problems, You Get More Money But You Have To Give Half Of The Earnings To The Doctor

એવી નોકરી શું કામની, જેનાથી તબિયત બગડે:પૈસા તો વધારે મળે છે પણ અડધી કમાણી દવામાં જતી રહે છે, નાઇટશિફ્ટમાં કામ કરવાથી થાય છે અનેક સમસ્યા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇટલી, જર્મની અને ચિલીના ઘણા સંશોધકોએ હાલમાં જ એક શોધ કરી હતી. જેમાં સાંજના સમયે કામ કરતા લોકોમાં ચિંતાની સમસ્યા વધુ જોવા મળે છે. તેઓને ચિંતા સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સાંજના સમયે કામ કરવાનો મતલબ શું છે?

  • જો તમે સાંજની શિફ્ટમાં ઓફિસ જાઓ છો.
  • સાંજે પોતાની દુકાન ખોલો છો.
  • પૈસા કમાવવા માટે સાંજે કોઇ પણ નોકરી, ધંધો અથવા મજૂરીનું કામ કરે છે.

જેમ કે- ગાર્ડ અથવા સિક્યોરીટીની નોકરી
જો તમને લાગે છે કે તમે રાત્રે અથવા વહેલી સવારે સારું પર્ફોર્મન્સ આપવા માગો છો, તેથી આ સમય કામ માટે યોગ્ય છે, તો તમે ચિંતાના વિકારનો શિકાર બની શકો છો. સમયસર સાવચેત રહો. આજે કામના સમાચારમાં આપણે આ મુદ્દાની ચર્ચા કરીશું અને તેનાથી બચવાના કેટલાક ઉપાયો જાણીશું.

સ્ટોરીના નિષ્ણાત ડૉ.બાલકૃષ્ણ શ્રીવાસ્તવ, જનરલ ફિઝિશિયન છે.

સવાલ : સાંજની શિફ્ટ સામાન્ય રીતે કેટલા સમયથી કેટલા સમયે થાય છે?
જવાબ : તે સામાન્ય રીતે મોડી બપોરે શરૂ થાય છે અને મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. જેમ કે- બપોરે 4 વાગ્યાથી 12 વાગ્યા સુધી અથવા 1 વાગ્યા સુધી.

સવાલ : દુકાન, ક્લિનિક, દવાખાનું, સિક્યોરિટી ગાર્ડ કે ઓફિસ જેવી કોઈપણ જગ્યાએ સાંજની શિફ્ટમાં કામ કરવું શા માટે સમસ્યારૂપ છે?

જવાબ : ડૉ. બાલકૃષ્ણ જણાવે છે કે, પ્રાણી હોય કે પક્ષી દરેકની પાસે બાયોલોજિકલ ઘડિયાળ હોય છે. જેમાં એ નક્કી થાય છે કે તેઓ ક્યારે શિકાર કરશે, ક્યારે ખાશે અને ક્યારે ઊંઘશે. જો તેમનું કામ સમયસર નથી થતું તો તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. આ જ સિસ્ટમ મનુષ્યોને પણ લાગુ પડે છે. તેની પાસે બાયોલોજિકલ ઘડિયાળ પણ છે. જો તેઓ તેની સાથે છેડછાડ કરે છે, તો તેઓને ખરેખર ચિંતાની સમસ્યા હોઈ શકે છે.

સવાલ : શું સાંજના સમયે કામ કરતા લોકોને ચિંતાની બીમારી સિવાય અન્ચ કોઇ બીમારી થઇ શકે છે?
જવાબ : આ માટે નીચેનું ગ્રાફિક વાંચો અને તેને અન્ય લોકો સાથે શેર કરો-

સવાલ : આ ગ્રાફિકમાં ચિંતા અને હતાશા વિશે વાત કરવામાં આવી હતી, તે એક જ છે, તો પછી તેનો અલગથી કેમ?

જવાબ : ડો. બાલકૃષ્ણ જણાવે છે કે, બિલકુલ નહીં. ચિંતા અને ડિપ્રેશન બંને અલગ-અલગ છે. ચિંતાનો મતલબ એ છે કે, ગભરાટ થવો. તો ડિપ્રેશનનો મતલબ છે નેગેટિવ અને નકારાત્મક વિચાર.

સાંજથી શિફ્ટમાં શું નુકસાન થાય છે...
અપચો

સાંજની શિફ્ટમાં કામ કરતા લોકો હંમેશાં ઘરે જઈને જમે છે. જો તમે 12 વાગ્યા સુધી નીકળો છો અને 1 વાગ્યા સુધી ઘરે જમી લો છો તો તમારી ખાવાની આ રીત બિલકુલ ખોટી છે. તમારા હોર્મોનલ ઘટકો તમને રાત્રે વધુ પડતું ખાવાની મંજૂરી આપતા નથી, અને કામથી થાકેલા લોકો રાત્રે 1 વાગ્યે વધુ પડતું ખાય છે અને સૂઈ જાય છે. આ પછી સવારે મોડે સુધી જાગે છે. શરીર કોઈ પ્રવૃત્તિ કરતું નથી તો જમવાનું કેવી રીતે પચશે.

હાર્ટની સમસ્યા
ચિંતા અને ડિપ્રેશનની સીધી અસર હાર્ટ ઉપર પડે છે. જો તમે ચિંતા, ગભરાટ અને નેગેટિવ વિચારમાં રહેશે, જેની સીધી અસર હાર્ટ પર થશે.

ચિંતા અને હતાશા
ક્યારેક આપણને એવું લાગે છે કે સાંજે આપણી કોઈ જિંદગી નથી. ફક્ત સવારે ઊઠો, તમારું કામ કરો અને પૈસા કમાવવા માટે બહાર જાઓ. આપણી આસપાસના લોકોને જોઈને વિચાર આવે છે કે, બધા પરિવાર અને મિત્રો સાથે સાંજે ફરવા જાય છે અને એક હું છું કે, ઓફિસમાં છું. આજ વિચારને કારણે ચિંતા અને હતાશા થાય છે.

બ્લડપ્રેશર
ચિંતા, હતાશા અને ખરાબ લાઇફસ્ટાઇલને કારણે પણ બ્લડપ્રેશરમાં વધઘટ થતું રહે છે.

ડાયાબિટીસ
ટાઈપ 2 ડાયાબિટીસ પાછળનું કારણ પણ ખરાબ લાઈફસ્ટાઇલ છે. સાંજની શિફ્ટમાં કામ કરો છોને ભૂખ લાગે છે તો કોઈ પણ વસ્તુ ખાઈ લો છો. આ જ કારણે તમારી લાઇફસ્ટાઇલ, ખાવા-પીવામાં અને હેલ્થ ખરાબ થશે ડાયાબિટીસના દર્દી બની શકો છો.

સવાલ : આજકાલ માત્ર સિક્યુરિટી ગાર્ડ જ નહીં પરંતુ આઇટી, મીડિયા અને મેડિકલ ક્ષેત્રના લોકો મોટાભાગે નાઇટ શિફ્ટમાં જ રહે છે. નાઇટ શિફ્ટમાં કામ કરવાથી કોઈ ગેરફાયદા છે?
જવાબ : નાઇટ શિફ્ટ કરવાના કેટલાક ગેરફાયદા પણ છે.

  • ઊંઘ સંબંધિત સમસ્યાઓ
  • હૃદય રોગ
  • સ્થૂળતા
  • આંખની નીચે ડાર્ક સર્કલ
  • યાદશક્તિ પર અસર
  • માનસિક શાંતિમાં ઘટાડો

જો તમે સવાર અને સાંજની શિફ્ટમાં કામ કરે છે. ડો. બાલકૃષ્ણ શ્રી વાસ્તવની ટિપ્સથી આ રીતે રહો હેલ્ધી

  • એક સમય નક્કી કરો, જેમાં તમે પોતાને જ સમય આપો.
  • મેડિટેશન અને યોગા જરૂર કરો , શાંતિ મળશે.
  • ઓફિસમાં હોય કે ઘરમાં ડાયટ હેલ્ધી રાખો
  • જાગીને સ્મોકિંગ ન કરો, ફ્રૂટ્સ ખાવાથી બીમાર નહીં પડો.
  • જ્યારે સમય મળે ત્યારે તમારા શોખને માણો.