ગુરુવારના રોજ ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે અને ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આચારસંહિતા પણ લાગુ થઈ ચૂકી છે. ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ રાજકિય પક્ષો પણ પ્રચારનાં કામમાં લાગી ગયા છે કે, તે શું એવું કરી શકે કે, જેનાથી મતદારો તેમને મત આપીને સતામાં લાવે. જો કે, આ પક્ષો જે પણ કરે તે તેમણે આચારસંહિતાનાં દાયરામાં રહીને કરવાનું છે. આ આચારસંહિતા શું છે? ચૂંટણી સમયે તે શા માટે લાગુ કરવામાં આવે છે? તે લાગુ થયા બાદ શું કરી શકાય અને શું ન કરી શકાય? તેનો ભંગ થાય તો કઈ-કઈ સજા થઈ શકે? આ તમામ બાબતો અંગે આપણે ચર્ચા કરીશું.
આચારસંહિતા એટલે શું?
ભારતનાં બંધારણનાં અનુચ્છેદ 243(6) અને 243(વ)(ક)ની જોગવાઈ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રવર્તમાન કાયદા/ નિયમોની જોગવાઈ અનુસાર આચારસંહિતા એટલે ચૂંટણીપંચ દ્વારા રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે બનાવવામાં આવેલી એક માર્ગદર્શિકા જેનું પાલન કરવું જરુરી છે. આ એક એવી નિયમાવલી છે કે, જે ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ શરુ થઈ જાય છે. આ નિયમાવલી કોઈ કાયદાના દાયરામાં નથી પણ તે રાજકીય પક્ષોની સહમતિથી બનાવવામાં આવી છે. જો લોકસભાની ચૂંટણી હોય તો આખા દેશમાં આચારસંહિતા લાગુ થાય છે અને જો રાજ્યમાં ચૂંટણી હોય તો તે ફક્ત રાજ્ય પૂરતી જ સીમિત હોય.
આચારસંહિતા લાગુ કરવાનો ઉદ્દેશ શું છે?
આદર્શ આચાર સંહિતા એ નક્કી કરે છે કે, રાજકીય પક્ષો, ઉમેદવારો અને શાસક પક્ષોએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવું વર્તન કરવું જોઈએ, એટલે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન, સભાઓ, સરઘસો, મતદાન દિવસની પ્રવૃત્તિઓ અને શાસક પક્ષની કામગીરી વગેરે.
આચારસંહિતા દરમિયાન શું ન કરવું?
આચારસંહિતા દરમિયાન શું કરી શકો?
શું સોશિયલ મીડિયા પર થતાં પ્રચાર પર પણ આચાર સંહિતા લાગે?
સોશિયલ મીડિયા દ્વારા થતાં પ્રચાર પર પણ આચારસંહિતા લાગુ હોય છે. સોશિયલ મીડિયા પર થતાં પ્રચારનો ખર્ચ પણ ઉમેદવારો દ્વારા કરવામાં આવતાં ખર્ચનાં હિસાબમાં જોડવામાં આવે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પ્રચારની જાહેરાત આપતાં પહેલાં ચૂંટણીપંચને તે અંગે માહિતી આપવાની રહેશે. ચૂંટણીપંચ મંજૂરી આપે ત્યારબાદ જ આ જાહેરાતોને સોશિયલ મીડિયા પર મૂકી શકાય છે. ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારોએ ચૂંટણીપંચને તેના પ્રચારનો ખર્ચનો હિસાબ આપવાનો રહે છે. જો હિસાબમાં ગોટાળો જોવા મળે તો ઉમેદવારને ત્રણ વર્ષ માટે ગેરલાયક પણ ઠેરવી શકાય છે. જો કે, એ ચૂંટણીપંચ પર નિર્ભર છે કે, તે આચારસંહિતાનો અમલ કેટલી કડકાઈથી કરાવી શકે છે.
જો આચારસંહિતાનો ભંગ થાય તો જેલ થાય?
કોઈપણ ઉમેદવારે કે પક્ષે કે પછી સમર્થકોએ કોઈ રેલી કે સભાનું આયોજન કરતાં પહેલાં પોલીસની પરવાનગી લેવી જરૂરી છે. સૌથી જરૂરી વાત કે કોઈ પણ ઉમેદવાર કે પક્ષ જાતિ, ઘર્મ કે વર્ગના ધારે મત નહીં માગી શકે. જો કોઈ ઉમેદવાર કે પછી પાર્ટી આચારસંહિતાનો ભંગ કરે તો ચૂંટણીપંચ નિયમ અનુસાર કાર્યવાહી કરી શકે છે. તેની સામે ફોજદારી ગુનો પણ દાખલ થઈ શકે છે. તેમને ચૂંટણી લડતાં પણ અટકાવી શકાય છે. આચારસંહિતાના ભંગ બદલ જેલની સજા પણ થઈ શકે છે.
જો કે, બંને બાજુના પક્ષોના દ્વારા આચારસંહિતાનો ભંગ થતો હોય છે એટલે સામસામે માંડવાળ કરી લેવામાં આવે છે. આચારસંહિતાને મજબૂત કાયદાકીય આધાર ન હોવાના કારણે ફક્ત અરજી થાય પછી નોટિસ કાઢવામાં આવે અને નોટિસના બદલામાં જવાબ આપીને ઠપકો ખાઈને છટકી જવામાં આવે. આચારસંહિતા ભંગ બદલ કોઈ મોટા નેતાને સજા થઈ હોય તેવું ભાગ્યે જ બન્યું હશે. કહે છે ને કે, જંગલમાં જો પ્રાણીનાં પંજામાં નહોર હોય તો તે ગમે તેવા તગડાં પ્રાણીનો શિકાર કરી શકે છે પણ નહોર ના હોય તો ગમે તેટલી તાકત હોય કોઈ કામ આવતી નથી. આચારસંહિતા નામના પ્રાણીનાં પંજામાં નહોર નથી એટલે તેના ભંગ બદલ ફરિયાદ ફાઈલ થાય બીજું કશું ન થાય?
આચારસંહિતાનાં ભંગ બદલ ક્યારેય કોઈ કાર્યવાહી થઈ છે?
આચારસંહિતાની અમલવારી તમામ રાજકીય પક્ષોને સમાન તક મળે, ધામધમકી કે લોભ-લાલચથી મતોનું પરિવર્તન ના થાય, શ્રીમંત ઉમેદવાર સામે ગરીબ ઉમેદવાર નબળો ના પડે, સરકારી તંત્રનો દુરુપયોગ ન થાય, પ્રચારનાં કારણે નાગરિકોનાં રોજ-બરોજના જીવનમાં ખલેલ ન પહોંચે, શાંતિ અને ભાઈચારો બની રહે, ધર્મ અને કોમનાં નામ પર મતો માગીને વાતાવરણ ડહોળવામાં ન આવે એટલે કે ચૂંટણીની પ્રક્રિયા પારદર્શી બની રહે તે માટે જરુરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.