ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોકોને ફટાફટ લોન આપતી ડિજિટલ મની લેન્ડિંગ મોબાઈલ એપ્સથી સાવધાન રહેવાની અપલી કરી છે. આ એપ્સ સાથે જોડાયેલા કરોડો રૂપિયાનું કૌંભાડ સામે આવ્યું છે. આંધ્રપ્રદેશનના ત્રણ લોકોએ આવી જ એપથી લોન લીધા બાદ આત્મહત્યા કરી છે
હકીકતમાં, આ પ્રકારની એપ દ્વારા ઘણી કંપનીઓ આકર્ષક વ્યાજ દરે ઓછા સમયમાં લોન આપવાનો વાયદો કરે છે. બાદમાં બાકીની રકમ વસૂલવા માટે જબરદસ્તી કરે છે. કોરોનાના સમયગાળામાં આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહેલા લોકોની વચ્ચે આ પ્રકારની સેવાઓની લોકપ્રિયતા વધી હતી.
શું સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલા પોલીસે ગુરુગ્રામ અને હૈદરાબાદની ચાર ઈન્સ્ટન્ટ લોન એપ્સની ફાઈનાન્સ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. તેમાંથી બે ઓફિસ ગુરુગ્રામમાં અને બે હૈદરાબાદમાં છે. તેમની ઓફિસોનું આખું નેટવર્ક જકાર્તાથી ચાલતું હતું.
હૈદરાબાદના જોઈન્ટ પોલીસ કમિશનર અવિનાશ મોહંતીએ જણાવ્યું કે, આ ચારેય ઓફિસોમાં 30 લોન એપ્સ ચાલી રહી હતી. RBIની મંજૂરી વગર આ એપ્સથી લોકોને 35%ના વ્યાજે લોન આપવામાં આવતી હતી. એટલે કે ત્રણ મહિનામાં પૈસા ડબલ થઈ જતા હતા. જો લોનનો હપ્તો સમયસર ચુકવવામાં ન આવે તો આ મોબાઈલ એપ્સ લોન લેનાર લોકોને ડરાવતી અને ધમકી આપતી હતી. આ ધમકીઓ અને ત્રાસથી હેરાન થઈને જ્યારે ત્રણ લોકોએ હૈદરાબાદમાં આત્મહત્યા કરી ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો.
RBIએ શું સાવચેતી રાખવાની અપીલ કરી?
આ પ્રકારના ફ્રોડની ક્યાં ફરિયાદ કરશો?
ફ્રોડ લોન આપવામાં આવી રહી છે તે કેવી રીતે ઓળખી શકાય છે?
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.