ચોમાસામાં કરંટ લાગવાની ઘટના બનતી રહે છે. કરંટ લાગવાનું જોખમ ઘરે અને બહાર બંને જગ્યાએ રહે છે. જો તમે થોડી પણ લાપરવાહી કરો છો તો જીવ ગુમાવવાનો વારો આવી શકે છે. આજે કામના સમાચારમાં અમે તમને જણાવીશું કે, કરંટ ન લાગે તે માટે શું કરવું જોઈએ અને કરંટ લાગ્યા બાદ ક્યાં ઉપાય કરવા જોઈએ. જો તમારી આજુબાજુ કે તમારા પરિવારજનને કરંટ લાગે છે તો આ સ્ટેપને ફોલો કરો.
તમને આ સ્ટેપ વિશે તો ખબર જ હશે આમ છતાં પણ મુશ્કેલીના સમયમાં આપણે ભૂલી જઈએ છીએ.
ઘરની બહાર આ વસ્તુઓમાંથી કરંટ આવી શકે છે.
ચોમાસામાં ઘરની અંદરની આ વસ્તુઓને તેમાંથી કરંટ લાગવાનો સૌથી વધુ ખતરો રહે છે.
નાના બાળકોને કરંટથી વધુ ડર લાગે
12 વર્ષથી નાના બાળકોને વિજળીના તારથી દુર રાખો. આ ઉંમરના બાળકોને જમીન પર ઘુંટણથી ચાલતા હોય છે અને કોઇ પણ વસ્તુને અડી લે છે. તે સમયે વિજળીના તારને ન અડકે તે માટે સ્વિચ બોર્ડને ઢાંકીને રાખો. ભુલથી પણ બાળકોને વિજળીના તારથી રમવા ન દો. અર્થિંગ જરૂર કરો.
આ 6 વાતનું જરૂર ધ્યાન રાખો.
જો કોઇને કરંટ લાગે છે તો ત્રણ પ્રકારની ઇજા થાય છે.
ફ્લશ એટલે કે ત્વચામાં ઇજા :
કરંટની અસર થોડા સમય માટે હોય છે, તેનાથી શરીરને થોડી જ ઇજા થાય છે. પરંતુ જ્યારે થોડો વધારે કરંટ લાગે ત્યારે કપડાં બળી જાય છે અને ત્વચા પણ બળી જાય છે જેને ફ્લશ કહેવામાં આવે છે.
હળવી ઇજા :
જયારે કરંટ લાગે છે તે ખૂબ જ ઓછા સમય માટે આઘાત લે છે, પરંતુ કરંટ આખા શરીરમાં જાય છે.
ટ્રુ ઇન્જરી :
આ ઇન્જરીથી માણસનું શરીર ઇલેક્ટ્રિક સર્કિટનો ભાગ બની જાય છે.
કરંટ લાગ્યા બાદ આ સાધારણ સમસ્યા થઇ શકે છે.
કરંટ કેમ લાગે છે, આવો જાણીએ આ પાછળનું વૈજ્ઞાનિક કારણ
જ્યારથી આપણે સમજણા થયા ત્યારથી સાંભળ્યું છે કે બધી વસ્તુઓ અણુઓની બનેલી હોય છે. અણુ ત્રણ વસ્તુઓનો બનેલો હોય છે - ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યૂટ્રોન. આ ઈલેક્ટ્રોનનો ઋણ ભાર હોય છે.
જ્યારે કોઈ વસ્તુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, ત્યારે નેગેટિવ ચાર્જ પણ વધે છે. પછી જો કોઈ માણસ આ પ્રકારની કોઈ વસ્તુને સ્પર્શે છે, તો તેના શરીરના પોઝિટિવ ઇલેક્ટ્રોન તેની તરફ આગળની વસ્તુના ઇલેક્ટ્રોનને ખેંચવાનું શરૂ કરે છે. આ ઈલેક્ટ્રોનની ઝડપી ગતિને કારણે કરંટ લાગે છે.
કરંટને કારણે કેટલીક વાર મોત પણ થઇ શકે છે.
હકીકતમાં, ટ્રુ અને લાઈટ ઇન્જરી માણસો માટે જોખમી સાબિત થઇ શકે છે. આ બંને પરિસ્થિતિમાં વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી જોઈએ. કરંટથી મૃત્યુનું કારણ એ છે કે હૃદય યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી. આવી સ્થિતિમાં, હૃદય ન તો લોહીને પંપ કરે છે અને ન તો લોહી ત્યાં અટકે છે, તેને એટ્રિયલ અને વેન્ટ્રિક્યુલર ફેબ્રિકેશન કહેવામાં આવે છે. તેનાથી મોત પણ થઇ શકે છે. ઘણી વખત દર્દી કોમામાં પણ જતો રહે છે, ત્યારબાદ શ્વાસ થંભી જાય છે. તેને કાર્ડિયો-પલ્મોનરી અરેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.