ફાંદ ઘટાડવા પોલીસને મળ્યું અલ્ટિમેટમ:જમ્યા બાદ તરત જ પાણી પીવાની ભૂલ ન કરો, દરરોજ આ 5 કસરત કરવાથી પેટની ચરબી થશે છૂમંતર

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલ આસામ પોલીસની ચર્ચા ચોતરફ થઇ રહી છે. આસામ પોલીસમાં કામ કરતા અનફિટ કર્મચારીઓને તેમનું વજન ઘટાડવા અને ફિટ થવા માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.

જો પોલીસકર્મીઓનું વજન ઓછું નહીં થાય તો તેમને સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું કહેવામાં આવશે. આ માટે હવેથી 3 મહિના પછી તેનો BMI ચેક કરવામાં આવશે. તો હરિયાણા પોલીસ દ્વારા પણ FAT TO FIT અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

આજે કામના સમાચારમાં અમે વાત કરીશું કે, પેટની ચરબી ઓછી કરવા શું કરવું જોઈએ, શું નહીં…

નિષ્ણાત પેનલ:

ડો. મોહમ્મદ રઝા, ડાયાબિટીસ, થાઈરોઈડ અને હાઈ બીપી નિષ્ણાત, ભોપાલ

ડૉ. સોહની બેનર્જી, કન્સલ્ટન્ટ ન્યુટ્રિશનિસ્ટ, હાવડા

સવાલ: આસામ-હરિયાણામાં પોલીસકર્મીઓ માટે પેટ ઓછું કરવાની વાત ક્યાંથી આવી?
જવાબ:
થોડાં વર્ષો પહેલાં પોલીસકર્મીઓના વધતા પેટ અંગે મીડિયામાં એક રિપોર્ટ આવ્યો હતો.

અનફિટ પોલીસકર્મીઓની સંખ્યામાં વધારો થવા પાછળ આ કારણો જવાબદાર...

  • ભરતી પછી કસરત કરવાની આદત ન રહેવી
  • મોબાઈલ ફોન અને અદ્યતન ટેક્નોલોજીને કારણે ભાગદોડ ન કરવી
  • જે પોલીસકર્મીઓને દારૂ પીવાની ટેવ છે. જેના કારણે આરોગ્યને ઉપર અસર થઈ છે.

આસામ-હરિયાણાની આ પહેલ હેઠળ પોલીસકર્મીઓના BMIનો રેકોર્ડ રાખવામાં આવશે. 15 ઓગસ્ટ સુધી તમામ પોલીસકર્મીઓને 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. એટલે કે 15મી ઓગસ્ટે પોલીસકર્મીઓનો BMI ચેક થશે.

પ્રશ્ન: આ BMI શું છે?
જવાબ:
BMI એટલે 'બોડી માસ ઇન્ડેક્સ'. જેમાં વ્યક્તિની ઊંચાઈ પ્રમાણે તેના વજનનો ગુણોત્તર કાઢવામાં આવે છે. BMI નક્કી કરે છે કે, વ્યક્તિ તેની ઊંચાઈ મુજબ ફિટ છે કે નહીં.

હવે સરળતાથી તમારો BMI તપાસો

બોડી માસ ઇન્ડેક્સ શોધવા માટે ઓનલાઈન અને ઓફલાઈન કેલ્ક્યુલેટર છે.

ઓનલાઈન: ક્લિક કરો- BMI કેલ્ક્યુલેટર

ઑફલાઇન: BMI = વજન / (ઉંચાઈ m.) 2

અથવા

BMI = વજન / (ઉંચાઈ X ઊંચાઈ) m.

પ્રશ્ન: બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI શું હોવો જોઈએ?
જવાબ:
તેની ચાર શરતો છે...

BMI ઇન્ડેક્સ - વજન

  • 18.5 કરતાં ઓછું: ઓછું વજન
  • 18.5 - 24.9 : સામાન્ય
  • 25 - 29.9 : વધારે વજન
  • 30થી વધુ: સ્થૂળતા

પ્રશ્ન: કયા કારણોસર પેટની ચરબી વધે છે?
જવાબ:
આ પાછળ ઘણાં કારણો છે, ચાલો નીચે આપેલા ક્રિએટિવમાંથી સમજીએ.

ઉપરોક્ત ક્રિયેટિવ્સથી સમજીએ કે તે કેવી રીતે ચરબી વધારે છે…

શારીરિક પ્રવૃત્તિ ન કરવી: જો તમે આખો દિવસ બેસી રહો છો અથવા સૂઈ જાઓ છો. વ્યાયામ એટલે શારીરિક પ્રવૃત્તિ કરતાં નથી તો, તમે જે ખાઓ છો તે સ્ટોરેજના રૂપમાં શરીરમાં જમા થાય છે.

જો તમે એકસાથે ઘણું બધું ખાઓ છો તોપણ તમારા પેટની ચરબી એટલી જ ઝડપથી વધે છે. તમે તેને પચાવવા માટે બહુ પ્રયત્નો કરતા નથી. આ કારણોસર ચરબી ભેગી થાય છે અને ફાંદ વધી જાય છે.

પૂરતી ઊંઘ ન લેવી: મેયો ક્લિનિક અનુસાર, ઊંઘ અને પેટની ચરબીને સંબંધ છે. અભ્યાસો પરથી ખબર પડે છે કે પૂરતી ઊંઘ ન થવાને કારણે પેટની કુલ ચરબીમાં 9% અને પેટની આંતરડાની ચરબીમાં 11% વધારો થવાની સંભાવના છે.

રિસર્ચ અનુસાર જે લોકો પૂરતી ઊંઘ નથી લેતા, તેમનું વજન વધારે હોય છે. અપૂરતી ઊંઘને કારણે ભૂખ સાથે સંકળાયેલા હોર્મોનના સ્તરમાં વધારો થાય છે અને લેપ્ટિનના સ્તરમાં ઘટાડો થાય છે, જે તમને વધુ ભૂખ લાગવા માટે જવાબદાર છે.

વધુ તણાવ : સ્થૂળતા અને તણાવ પણ એકબીજા સાથે જોડાયેલાં છે. ચિંતાથી તણાવ વધે છે. ખાવાની ઈચ્છા પણ થાય છે. આ કારણે તમે વધુ ખોરાક લો છો અને પેટની ચરબી વધે છે.

ધૂમ્રપાન અને આલ્કોહોલ: ધૂમ્રપાન માત્ર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે શ્વસન રોગો અને ફેફસાના કેન્સરમાં વધારો જ નહીં પરંતુ તેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ વધે છે. આ પરિસ્થિતિમાં ચરબી વધી શકે છે. આલ્કોહોલ સુગર વધારવાનું કામ કરે છે.

વધુ કેલરી લેવી: પેટ વધવાનું સૌથી મોટું કારણ વધુ માત્રામાં કેલરી લેવી છે. જો તમે જરૂરિયાત કરતાં વધુ કેલરી લો છો, તો વજન અને પેટ વધવા લાગે છે.

શરીરની ચરબી બર્ન કરવાની ક્ષમતા પણ ઓછી થાય છે. જેના કારણે પેટ વધવાની સમસ્યા થાય છે.

આનુવંશિક સમસ્યા: કેટલાક લોકોમાં તે આનુવંશિક હોય છે, તેમના શરીરના ચોક્કસ ભાગમાં ચરબી જમા થાય છે. પુરુષોમાં આ ચરબી ઘણીવાર પેટની આસપાસ હોય છે. તેથી, જો તમારા વડીલોમાં પેટ વધવાની સમસ્યા છે, તો આનુવંશિક રીતે તમને પણ પેટની સમસ્યા હોઈ શકે છે.

હોર્મોનલ અસંતુલન: આપણા શરીરમાં હોર્મોન્સનું સ્તર પણ પેટની સમસ્યા પેદા કરી શકે છે. લેપ્ટિન હોર્મોન શરીરમાં જોવા મળે છે. આ હોર્મોન શરીરમાં ખોરાક ખાધા પછી પેટ ભરવાનો સંદેશ આપે છે.

જો તમારા શરીરમાં લેપ્ટિનની ઊણપ છે, તો તમે લાંબા સમય બાદ પેટ ભરેલું હોવાનો અનુભવ થશે અને તમે વધુ ખોરાક ખાશો. જેના કારણે શરીરમાં ચરબી જમા થશે અને પેટ બહાર આવશે.

પ્રશ્ન: પેટની ચરબી વધવાથી કયા રોગો થાય છે?
જવાબ:
આના કારણે 6 સ્વાસ્થ્ય સંબંધિત રોગો થવાનું જોખમ છે.

  • હૃદય રોગ
  • કોલોરેક્ટલ કેન્સર
  • ઇન્સ્યુલિન પ્રતિકાર
  • ટાઈપ 2 ડાયાબિટીસ
  • હાઈ બ્લડપ્રેશર
  • સ્લીપ એપનિયા

પ્રશ્ન: પેટની ચરબી ઘટાડવા માટે શું-શું કરી શકાય?
જવાબ:
પેટની ચરબી ઘટાડવા માટે વ્યક્તિએ સારી રીતે આયોજિત દિનચર્યાને અનુસરવાની જરૂર છે. નીચે લખેલા મુદ્દાઓને અનુસરો.

1. સારી ઊંઘ: પેટની ચરબી ઘટાડવા માટે દરરોજ રાત્રે ઓછામાં ઓછી 7 કલાકની સારી ઊંઘ જરૂરી છે. ઊંઘની ગુણવત્તા એટલી જ મહત્ત્વપૂર્ણ છે જેટલી તમારી ઊંઘનો સમયગાળો.

2. પુષ્કળ પાણી પીઓ: પાણી શરીરમાં ચરબીના મેટાબોલિઝમમાં મદદ કરે છે. આખો દિવસ સતત પાણી પીવાથી પેટ ભરેલું લાગે છે. તેનાથી ભૂખ ઓછી લાગે છે.

મોટાભાગના તમામ રસ અથવા કાર્બોનેટેડ પીણાંમાં ખાંડ હોય છે. જે કેલરીનો વપરાશ વધારે છે. એટલા માટે દરરોજ 3-5 લિટર પાણી પીવો.

સવારે 1-2 ગ્લાસ નવશેકું પાણી પીવાથી વજન અને પેટની ચરબી ઓછી થાય છે.

નોંધઃ જમ્યા પછી પાણી ન પીવું.

3. નિયમિત વ્યાયામ: રોજની કસરત વજન નિયંત્રણમાં મદદ કરે છે. કસરત કરતા પહેલાં તમારા અંગત ફિટનેસ ટ્રેનરની સલાહ લો.

4. કેલરીની કાળજી રાખો: કેલરીનો વપરાશ કોઈ ને કોઈ રીતે શરીરમાં ચરબીના રૂપમાં જમા થઈ જાય છે. દરરોજ વપરાશમાં લેવાયેલી અને ખર્ચવામાં આવતી કેલરીનો ટ્રેક રાખો.

કેલરીની ઊણપ એ કેલરી બર્ન કરવાની શ્રેષ્ઠ રીત છે. 500 કેલરીની ઊણપથી અઠવાડિયામાં 0.4 કિગ્રા અથવા 1 પાઉન્ડ વજન ઘટી શકે છે. આ માટે તમે મોબાઈલ એપ Healthyifyme એપ વડે કેલરી ટ્રેક કરી શકો છો.

5. નાસ્તો અવશ્ય કરવોઃ સવારના નાસ્તાને અવગણશો નહીં. તે તમારા દિવસની શરૂઆત કરવા માટે ઊર્જા સ્તરને સંતુલિત કરે છે. નાસ્તો છોડવાથી મેટાબોલિઝમની ક્રિયામાં ગડબડ થાય છે. જેના કારણે ચરબી બર્ન કરવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે.

પ્રશ્ન: ફાંદ અથવા લટકતું પેટ કેવી રીતે ઓછું કરવું?
જવાબ:
લટકતું પેટ ઓછું કરવા માટે આ રહ્યા ઉપાય...

લટકતું પેટ ઘટાડવા માટે 3 કસરતો

કેટલીક સરળ કસરતો જે તમે કોઈપણ સમયે સરળતાથી કરી શકો છો. આ કસરતો કરવા માટે સવારનો સમય શ્રેષ્ઠ છે, પરંતુ તમે તેને સાંજે પણ કરી શકો છો-

માયો ક્લિનિકના એક રિપોર્ટ અનુસાર, જો તમે યોગ્ય ટેક્નિક જાણતા હો તો વૉકિંગ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તમે કેટલો સમય અને કેટલી ઝડપથી ચાલો છો તેના પર પણ તે આધાર રાખે છે.

જો તમે દરરોજ ચાલો છો, તો તે કેલરી બર્ન કરે છે. ચાલવું એ વજન ઘટાડવાનો સરળ રસ્તો છે.

પ્રશ્ન: પેટની ચરબી ઘટાડવા માટે મારે સવારે કેટલો સમય ચાલવું જોઈએ?
જવાબ:
જો તમે દરરોજ 30 મિનિટ ઝડપથી ચાલશો તો તે 150થી વધુ કેલરી બર્ન કરી શકે છે. તમે જેટલી ઝડપથી ચાલશો, એટલી જ કેલરી બર્ન કરશો.

નોંધ- તમારે તમારી શારીરિક ક્ષમતા અનુસાર ચાલવું કે દોડવું જોઈએ. કારણ કે કંઈપણ વધારે કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે.

આ સ્નાયુમાં દુખાવો, ઈજા, બર્નઆઉટનું જોખમ પણ વધારી શકે છે. જો તમે પહેલીવાર ચાલવાનું શરૂ કરી રહ્યા છો, તો મધ્યમ તીવ્રતાથી શરૂ કરો અને ઓછું ચાલો. ધીમે ધીમે ઝડપ, તીવ્રતા અને અંતર વધારો.

સવાલ: આજકાલ ઘડિયાળ અને સ્ટેપ્સ ગણવા માટે ઘણી એપ્સ આવી છે, લોકો તેમના સ્ટેપ્સ પર ધ્યાન આપે છે. તો દરરોજ કેટલાં પગલાં ચાલવું જોઈએ?
જવાબઃ
જો તમે ઇચ્છો છો કે, તમારું વજન જલદી નિયંત્રણમાં રહે અને શક્ય તેટલું ઓછું થાય, તો દરરોજ લગભગ 10 હજાર સ્ટેપ્સ ચાલો.

પરંતુ માત્ર 2000 પગલાંઓથી પ્રારંભ કરો. પછી ધીમે ધીમે સ્ટેપ્સ વધારો.

નોંધઃ જો તમને વજન ઘટાડવામાં વધુ તકલીફ પડી રહી હોય તો નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.

પ્રશ્ન: પેટની ચરબી ઘટાડવા શું પીવું?
જવાબ:
તમે વજન ઘટાડવાના પીણાં પી શકો છો. આ પીણાંને રૂટિનમાં સામેલ કરી શકાય છે-

એપલ વિનેગર: તમે વિનેગરને હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પી શકો છો. તેમાં પોટેશિયમ, એમિનો એસિડ અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ગ્રીન ટી: ગ્રીન ટીમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો અને એન્ટિઓક્સિડેન્ટ હોય છે જે ફેટ બર્ન કરવાનું કામ કરે છે. તેમાં એન્ટિ ઓક્સિડન્ટ એપિગાલોકેટેચિન ગેલેટ (EGCG) હોય છે, જે ચયાપચયને વધારે છે. તે ભૂખ ઘટાડવામાં પણ મદદ કરે છે.

બ્લેક ટી: બ્લેક ટી વજન ઘટાડવા માટે સારું પીણું છે. તેમાં કેફીન પણ વધુ માત્રામાં હોય છે. જેના કારણે શરીરને પર્યાપ્ત માત્રામાં એનર્જી પણ મળે છે, જે કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે. તેમાં ફ્લેવોનોઈડ્સ પણ વધુ હોય છે.

પ્રશ્ન: પેટ ઓછું કરવા માટે ડાયટ પ્લાન કેવી રીતે રાખવો?
જવાબ:
આ રીતે કરો ડાયટ પ્લાન-

1. ખાંડ બિલકુલ ન ખાઓ

ખાંડમાં ફ્રુક્ટોઝ હોય છે જે પેટની આસપાસ ચરબી વધારે છે. કોલ્ડ ડ્રિંક્સ, આર્ટિફિશિયલ ફ્લેવર્ડ જ્યૂસ અને મીઠાં પીણાઓથી સ્થૂળતાનું જોખમ 60% સુધી વધી જાય છે.

2. ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું

સોયાબીન, ટોફુ, બદામ જેવા ખોરાકમાં પ્રોટીન હોય છે. આ ખાવાથી વારંવાર ભૂખ લાગતી નથી અને કેલરીની માત્રા ઓછી થાય છે. પેટની આસપાસ ચરબી જમા થતી નથી.

3. ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઘટાડવું

સફેદ ખાંડ, સફેદ બ્રેડ, પાસ્તા, લોટ જેવી વસ્તુઓ ચરબી વધારે છે. પરંતુ આ વસ્તુ ઓછી ખાવાથી પેટની ચરબી ઘટાડવામાં ઘણી મદદ મળે છે. લીલાં શાકભાજી વધુ ખાઓ.

4. હેલ્ધી નાસ્તો કરવો જોઈએ

નાસ્તો ટાળવાથી ભૂખ વધુ લાગે છે અને વજન વધે છે. ઓટમીલ, પોરીજ અને હાઈ પ્રોટીન નાસ્તો પેટની ચરબી ઘટાડવામાં મદદરૂપ છે.

5. ફાઇબર સાથેનો ખોરાક લો

કઠોળ, આખા અનાજ, વટાણા, કોબી, રાજમા જેવી વસ્તુઓમાં ફાઈબર વધુ હોય છે. જેનાથી પાચનક્રિયા પણ સારી રહે છે અને પેટમાં ચરબી જમા થતી નથી.

પ્રશ્ન: વજન ઘટતાની સાથે જ ઘણા લોકો ચાલવાનું ઓછું કરે છે અને દિનચર્યાને અનુસરવાનું બંધ કરી દે છે, શું તે યોગ્ય છે?
જવાબ:
ના, એવું બિલકુલ ન કરવું જોઈએ. કેટલાક લોકો વજન ઘટતાની સાથે જ તમામ શારીરિક પ્રવૃત્તિ કરવાનું બંધ કરી દે છે. આ ખોટું છે.

વજન ઘટાડ્યા પછી વ્યાયામ વધુ જરૂરી બની જાય છે. ચાલવા, દોડવા અથવા કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ સાથે યોગ્ય સ્વસ્થ આહાર લો.