મારુતિએ 9,925 કાર પાછી બોલાવી:3 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બરની વચ્ચે થઈ હતી મેન્યુફેક્ચરીંગ, રિયર બ્રેકમાં અસેમ્બલી પિનમાં ખામી

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે પોતાના ત્રણ મોડલો વેગેનર, સેલેરિયો અને ઈગ્નિસનાં 9,925 યૂનિટ માર્કેટમાંથી પાછા બોલાવ્યા. તેનું કારણ રિયર બ્રેકમાં અસેમ્બલી પિનમાં ખામી છે. આ કારની મેન્યુફેક્ચરિંગ ૩ ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2022ના રોજ કરવામાં આવી હતી. રિપ્લેસમેન્ટ માટે તે પાર્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ઓથોરાઈઝ્ડ વર્કશોપ ગ્રાહકોને આ માટે સંપર્ક પણ કરશે.

પરફોર્મન્સ પર અસર પડી શકે
મારુતિએ BSE ફાઈલિંગમાં કહ્યું કે, ‘રિયર બ્રેક અસેમ્બલી પિનમાં ખામી હોઈ શકે, જે ટૂટી પણ શકે છે અને એક વિચિત્ર અવાજ પણ ઉત્પન્ન કરી શકે.’ લાંબા સમયમાં બ્રેક પરફોર્મન્સ પર પણ અસર પડી શકે છે. ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને સાવચેતીનાં પગલારૂપે શંકાસ્પદ વાહનોને પાછા બોલાવીને ચેકિંગ માટે ખામીયુક્ત પાર્ટ્સ બદલવાનો નિર્ણય લેવાયો છે.

ગયા વર્ષે 1,81,754 ગાડીઓને પરત બોલાવવામાં આવી હતી
ગત વર્ષે પણ મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં વેચાતી 1,81,754 ગાડીઓને રિકોલ કરી હતી. આ ગાડીઓનું ઉત્પાદન 4 મે, 2018થી 27 ઓક્ટોબર, 2020 વચ્ચે કરવામાં આવ્યું હતું. કંપનીનું કહેવું છે કે, ‘આ કાર્સનાં સેફ્ટી ફીચર્સમાં થોડી ખરાબી આવી શકે છે. આ યાદીમાં સિયાઝ, એસ-ક્રોસ, વિટારા બ્રેઝા, 7 સીટર અર્ટિગા અને XL6નો સમાવેશ થાય છે.’

દેશમાં ગાડીનો રિકોલનાં મોટા કિસ્સા

  1. બલેનો અને વેગેનર રિકોલ : જુલાઈ 2020માં મારુતિએ વેગેનર અને બલેનોની 1,34,885 યૂનિટ્સને રિકોલ કર્યા હતા. આ મોડેલને 15 નવેમ્બર,2018થી 15 ઓક્ટોબર,2019ની વચ્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. કંપનીએ ફ્યૂલપંપમાં ખામીના કારણે ગાડીઓ પાછી બોલાવી હતી.
  2. મારુતિ ઈકો રિકોલ: નવેમ્બર 2020માં કંપનીએ ઇકોના 40,453 યૂનિટ્સ પાછા બોલાવ્યા. વાહનનાં હેડલેમ્પ પર સ્ટાન્ડર્ડ સિમ્બોલ મિસિંગ થવાનાં કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. આ રિકોલમાં 4 નવેમ્બર, 2019થી 25 ફેબ્રુઆરી, 202૦ની વચ્ચે મેન્યુફેક્ચર કરેલી ઈકોનો સમાવેશ થાય છે.
  3. મહિન્દ્રા પિકઅપ રિકોલઃ વર્ષ 2021માં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેનાં કોમર્શિયલ પિકઅપ વ્હીકલનાં 29,878 યુનિટ્સને રિકોલ કર્યા હતાં. કંપનીએ કહ્યું હતું કે, ‘જાન્યુઆરી 2020થી ફેબ્રુઆરી 2021ની વચ્ચે મેન્યુફેક્ચર થનારા કેટલાક પીકઅપ વાહનોમાં લિક્વિડ પાઇપ બદલવામાં આવશે.
  4. મહિન્દ્રા થાર રિકોલ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ફેબ્રુઆરી 2021માં તેની ઓફરોડ SUV થારનાં ડીઝલ વેરિઅન્ટનાં 1577 યુનિટને રિકોલ કર્યા હતાં. કંપનીએ કહ્યું હતું કે, પ્લાન્ટનાં મશીનમાં ખામીને કારણે આ પાર્ટ્સને નુકસાન થયું છે. તમામ એકમોનું ઉત્પાદન 7 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર, 2020 ની વચ્ચે કરવામાં આવ્યું હતું.
  5. રોયલ એનફિલ્ડ રિકોલ: મે 2021માં શોર્ટ સર્કિટ શંકાનાં કારણે રોયલ એનફિલ્ડે બુલેટ-350, ક્લાસિક-350 અને મીટિઅર-350નાં 2,36,966 યૂનિટ્સને પાછા મગાવ્યા. આ તમામની મેન્યુફેક્ચરિંગ ડિસેમ્બર 2020થી એપ્રિલ-2021ની વચ્ચે થઈ હતી.

ચાર ગણો પ્રોફિટ વધ્યો
મારુતિ સુઝુકીએ શુક્રવારનાં રોજ સપ્ટેમ્બર-2022નાં ત્રિમાસિક વેચાણના આંકડાઓ બહાર પાડ્યા હતા. સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ દર વર્ષે (YoY) ચાર ગણો વધારીને 2,062 કરોડ રુપિયા થઈ ગયો. કંપનીની રેવેન્યુ લગભગ 46% વધીને 29,931 કરોડ રુપિયા થઈ ગયો. જો કે, આ ત્રિમાસિક ગાળાનું વેચાણ વોલ્યુમ અગાઉના વર્ષની સરખામણીએ 36 ટકા વધીને 5,17,395 યુનિટ થયું છે.