તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાકાળમાં અનેક લોકો ડિપ્રેશનનો શિકાર બન્યા હતા ત્યારે આ યાદીમાં દુનિયાના દિગ્ગજ બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. જોકે કોહલી કોરોનાકાળમાં નહીં, પરંતુ 2014માં જ્યારે ઈંગ્લેન્ડના પ્રવાસે હતા ત્યારે ડિપ્રેશનનો સામનો કરી રહ્યો હતો. વિરાટના જણાવ્યા પ્રમાણે, ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન તેમનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું; તે સતત અસફળ થઈ રહ્યો હતો; ત્યારે તેને થયું કે તે દુનિયામાં એકલો જ છે.
'એક સમય હતો, જ્યારે હું મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો'
ઈંગ્લેન્ડના પૂર્વ ખેલાડી માર્ક નિકોલ્સની સાથેની વાતચીતમાં વિરાટે માન્યું કે તે એ સમયગાળા દરમિયાન પોતાના કરિયરના મુશ્કેલ સમયમાંથી પસાર થયો હતો. કોહલીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારેય ડિપ્રેશનમાં રહ્યા છો, ત્યારે તેણે કહ્યું, 'હા, મારી સાથે આવું થયું હતું. તે વિચારીને સારું લાગતું ન હતું કે તમે રન બનાવી શકતા નથી અને મને લાગે છે કે તમામ બેટ્સમેનને કોઈ સમયે એવો અનુભવ થાય છે કે તેમનું એકપણ વસ્તુ પર કોઈ જ નિયંત્રણ નથી.'
'2014નો ઈંગ્લેન્ડનો પ્રવાસ નિરાશાજનક રહ્યો'
કોહલી માટે 2014નો ઈંગ્લેન્ડ પ્રવાસ નિરાશાજનક રહ્યો હતો. તેણે પાંચ ટેસ્ટ મેચની 10 ઈનિંગ્સમાં માત્ર 13.50ની સરેરાશથી જ રન બનાવ્યા હતા. 2014માં કોહલીનો સ્કોર 1, 8, 25, 0, 39, 28,0,7,6 અને 20 રન રહ્યો હતો. એ બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન કોહલી પરત ફરતાં શાનદાર 692 રન બનાવ્યા હતા.
'મને થતું કે વિશ્વમાં હું એકલી જ વ્યક્તિ છું'
32 વર્ષના કોહલીએ ઈંગ્લેન્ડ પ્રવાસને યાદ કરતાં કહ્યું, 'ખરાબ સમય ચાલતો હોય ત્યારે ખબર ન પડે કે આ સમયને કઈ રીતે પાર કરવાનો છે. આ એ સમય હતો જ્યારે હું વસ્તુઓને બદલવા માટે કંઈ જ કરી શકતો ન હતો. મને એવો અનુભવ થતો હતો કે વિશ્વમાં હું એકલી જ વ્યક્તિ છું.'
હંમેશાં જોશ અને ઉત્સાહથી ભરપૂર ટીમ ઈન્ડિયાના કેપ્ટન કોહલીએ જણાવ્યું હતું કે તેમની જિંદગીમાં તેમનો સાથ આપનારા લોકો હતા, પરંતુ તેમ છતાં તેઓ ત્યારે પણ એકલતાનો અનુભવ કરતા હતા. કોહલીએ વધુમાં કહ્યું હતું કે 'ખાનગી રીતે એ મારા માટે નવું હતું કે તમે મોટા ગ્રુપનો ભાગ હોવા છતાં એકલતાનો અનુભવ કરી રહ્યા હોવ. હું એમ નહીં જણાવું કે મારી સાથે વાત કરવા માટે કોઈ ન હતું, પરંતુ વાત કરવા માટે કોઈ પ્રોફેશનલ ન હતું કે મને સમજી શકે કે હું કયા સમયમાંથી પસાર થઈ રહ્યો છું.'
'ડિપ્રેશનને અવગણી ન શકાય, કેમ કે એ કોઈનું પણ કરિયર બરબાદ કરી શકે છે'
ઈન્ટરનેશનલ કરિયરમાં 70 સેન્ચુરી ફટકારનાર ભારતીય કેપ્ટનનું માનવું છે કે માનસિક સ્વાસ્થ્યના મુદ્દાને અવગણી ન શકાય, કેમ કે એનાથી કોઈપણ ખેલાડીનું કરિયર બરબાદ થઈ શકે છે. તેનું માનવું છે કે 'એક એવી વ્યક્તિ હોવી જોઈએ, જેની પાસે કોઈપણ સમયે જઈને તમે એમ કહી શકો કે સાંભળો હું અસહજ અનુભવું છું. મને ઊંઘ નથી આવતી. હું સવારે ઊઠવા નથી માગતો. મને મારા પર વિશ્વાસ નથી કે હું શું કરું.'
દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક ભારતીય કેપ્ટન કોહલીએ વધુમાં કહ્યું હતું કે 'અનેક લોકો લાંબા સમય સુધી આ પ્રકારનો અનુભવ કરે છે, જેમાં મહિનાઓ લાગી જાય છે. આવું સમગ્ર ક્રિકેટ સત્રમાં બની શકે છે. લોકો એમાંથી બહાર નથી આવી શકતા. હું સંપૂર્ણ ઈમાનદારીની સાથે પ્રોફેશનલ મદદની જરૂરિયાતનો અનુભવ કરું છું.'
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.