તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈગ્લેન્ડ સામે 12 માર્ચથી શરૂ થવા જઈ રહેલી T-20 સિરિઝ માટે શનિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિરિઝ માટે 19 ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. IPLની ગત સિઝનમાં શાનદાર દેખાવ કરનાર મુંબઈ ઈન્ડિયન્સના સુર્યકુમાર યાદવને પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે.પ્રથમ વખત ટીમમાં સ્થાન મેળવનારાઓમાં વિકેટકીપર ઈશાન કિશન અને ઓલરાઉન્ડર રાહુલ તેવતિયાનો પણ સમાવેશ થાય છે.
ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), યુજવેંદ્ર ચહલ, વરુણ ચક્રવર્તી, અક્ષય પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, નવદીપ સૈની અને શાર્દૂલ ઠાકૂર.
બુમરાહ-શમીને આરામ
ઝડપી બોલર જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને આરામ આપવામાં આવ્યો છે. શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સિરિઝ સમયે ઈજા થઈ હતી. તેને લીધે પ્રવાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. જ્યારે બુમરાહ ઈગ્લેન્ડ સામે ચાલી રહેલી વર્તમાન ટેસ્ટ ટીમનો હિસ્સો છે.
ભુવનેશ્વર કુમારને ફરી સ્થાન મળ્યું
ઈજાને લીધે ટીમ ઈન્ડિયાથી બહાર થયેલા બોલર ભુવનેશ્વર કુમારને 14 મહિના બાદ ટીમમાં સ્થાન મળ્યું છે. ભુવનેશ્વરે અંતિમ ઈન્ટરનેશનલ મેચ 11 ડિસેમ્બર,2019ના રોજ વેસ્ટઈન્ડિઝ સામે રમ્યો હતો. અત્યારે વિજય હજારે ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ માટે તે રમી રહ્યો છે.
સુર્યકુમારને આ માટે તક મળી
IPL 2020નો હિરો સુર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયામાં પ્રથમ વખત તક મળી છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે બેટ્સમેનને T-20માં તક આપવાની અનેક ભૂતપુર્વ ખેલાડીઓએ માંગ કરી હતી. ગયા વર્ષે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ત્યારે વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ કહ્યું હતું કે સુર્યકુમાર યાદવ એ ક્લાસ પ્લેયર છે. તેની ટેકનિક શાનદાર છે અને દબાવમાં પણ સારું બેટિંગ કરવાની ક્ષમતા છે. તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમમાં સામેલ કરવાની જરૂર હતી.
ઈશાન કિશને વિજય હજારે ટ્રોફીમાં ધૂઆધાર બેટિંગ કરી
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને વિજય હજારે ટ્રોફી અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી. ઇશાને ઇન્દોરના હોલકર સ્ટેડિયમ ખાતે યજમાન મધ્યપ્રદેશ સામે 94 બોલમાં 173 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 11 સિક્સ અને 19 ફોર મારી હતી. તેની કપ્તાની ઇનિંગ્સને કારણે ઝારખંડે 50 ઓવરમાં 422/9 નો સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં મધ્યપ્રદેશની આખી ટીમ 18.4 ઓવરમાં 98 રન પર સમેટાઇ ગઈ હતી અને તેમને 324 રનના અંતરથી શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.