ટીમ ઈન્ડિયા સ્પિનર ​​ફ્રેન્ડલી પિચ કેમ બનાવે છે:ટોસની ભૂમિકાને હટાવવાનો ઉદ્દેશ્ય, WTC પોઈન્ટ્સ મેળવવાનું દબાણ વધુ હોય છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌથી પહેલા આ તસવીર જુઓ...

આ સેટેલાઈટથી લીધેલો ચાંદાનો ફોટો નથી. આ ઈન્દોરની પિચ છે જેના પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાઈ હતી. ભારતીય ટીમ સવા બે દિવસમાં મેચ હારી ગઈ અને મેચ પછી ICCએ આ પિચને ખરાબ રેટિંગ આપી.

એવું નથી કે આ પ્રકારની પિચ પહેલી વખત જોવા મળી હોય. ભારતમાં પાછલા વર્ષોમાં જેટલી પણ ટેસ્ટ રમાઈ છે મોટાભાગે આવી જ પિચ જોવા મળી છે.

સવાલ એ ઉઠે છે કે ભારત આવી પિચ કેમ બનાવી રહ્યું છે. શું સામાન્ય પિચમાં ટીમ જીતી નથી શકતી?

આ સવાલનો વિસ્તારથી જવાબ સ્ટોરીમાં જાણીશું. સાથે જ જાણીશું કે આવી પિચના કયા સાઈડ ઈફેક્ટ ભારતને ભોગવવા પડશે.

શરૂઆત કરીએ એ બે કારણોથી જે આ પિચ માટે જવાબદાર છે
1.ટોસના મહત્વનો ઓછું કરવા

ભારતની ટ્રેડિશનલ પિચ પહેલા બે દિવસ બેટિંગ કરવા સ્વર્ગ જેવી હોય છે. ત્રીજા દિવસે બોલ ટર્ન થવાનો શરૂ થાય છે અને ચોથા-પાંચમા દિવસે આ સ્પિનર્સ માટે સ્વર્ગ બની જાય છે.

મજબૂત ટીમ વિરુદ્ધ આવી પિચ પર એક મોટું જોખમ ટીમ ઈન્ડિયા ભોગવી રહી હતી. તે જોખમ હતું ટોસ હારવાનું. ટોસ હારવાની સ્થિતિમાં સામે વાળી ટીમ પહેલા બેટિંગ કરી જો 500-600 રનનો સ્કોર બનાવી દેય છે તો પછી ભારત માટે મેચમાં વાપસી કરવી મુશ્કેલ બની જાય છે.

2021માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચેન્નઈમાં કંઈક આવું જ બન્યું હતું. ઇંગ્લેન્ડ ટોસ જીતી પહેલા બેટિંગ કરવા ઉતરી અને કેપ્ટન જો રૂટની બેવડી સદીના કારણે 578 રન બનાવી લીધા. ભારત આ મેચ 227 રનથી હાર્યું.

આ પછી બીજી ટેસ્ટમાં આવી પિચ બનાવવામાં આવી જેમાં પહેલા દિવસથી બોલ ટર્ન થઈ શકે. પરિણામ. ભારતે આગલી ત્રણેય ટેસ્ટ જીતી લીધી અને સિરીઝ 3-1થી પોતાના નામે કરી.

2.WTC પોઈન્ટ્સ હાંસલ કરવાનું દબાણ
જ્યારથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની શરૂઆત થઈ છે ત્યારથી દરેક ટીમે બે વર્ષના ટાઈમ પિરિયડમાં ત્રણ ટેસ્ટ સિરીઝ પોતાના દેશમાં અને ત્રણ સિરીઝ બહાર જઈને રમવાની રહેશે.

પ્રથમ WTC (2019-21), ભારતે તેની છેલ્લી શ્રેણી ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમવાની હતી. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે 4માંથી ત્રણ ટેસ્ટ મેચ જીતવી જરૂરી હતી. પ્રથમ મેચમાં હાર બાદ ભારત પર તમામ મેચ જીતવાનું દબાણ હતું. પછી એવી પિચો બનાવવામાં આવી જેના પર ભારતની જીતની શક્યતા સૌથી વધુ હતી.

વર્તમાન WTC (2021-23), ભારતને ફાઇનલમાં પહોંચવા માટે તેની છેલ્લી 6 મેચમાંથી 5 જીતવી જરૂરી હતી. ભારતે 2 ટેસ્ટ મેચની શ્રેણીમાં બાંગ્લાદેશને 2-0થી હરાવ્યું હતું. આ પછી, ઑસ્ટ્રેલિયા સામેની ચાર મેચની શ્રેણી ઓછામાં ઓછા 3-1ના માર્જિનથી જીતવાનું દબાણ ચાલુ હતું. ત્યારે એવી પિચો બનાવવામાં આવી રહી છે જેના પર ભારતીય ટીમની જીતવાની વધુ તકો છે. શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચમાં મળેલી જીતે આ સિદ્ધાંતને પણ બળ આપ્યું કે પિચ એવી હોવી જોઈએ કે પ્રથમ દિવસથી જ ટર્ન આપે.

પિચના વલણ વિશે ICCના નિયમો શું કહે છે?
આગળ, આપણે જાણીશું કે સ્પિનર્સ માટે વધુ મદદરૂપ બનેલી પિચ ભારત માટે કેટલી હાનિકારક રહી છે. તે પહેલા, ચાલો જાણીએ કે ટેસ્ટ મેચની પિચ કેવી હોવી જોઈએ તેના પર ICCનું શું સ્ટેન્ડ છે.

ICC ઘરેલું ટીમને દ્વિપક્ષીય શ્રેણીમાં તેની તાકાત અનુસાર પિચ તૈયાર કરવાની મંજૂરી આપે છે. દુનિયાભરની તમામ ટીમ 146 વર્ષથી આવું કરી રહી છે. એટલા માટે ભારતીય ટીમ મેનેજમેન્ટે સ્પિન ટ્રેક બનાવી કોઈપણ નિયમો અને નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન કરતું નથી. જો કે, ICC પણ બેટ અને બોલ વચ્ચે નિષ્પક્ષ હરીફાઈનો આગ્રહ રાખે છે. તે માને છે કે પિચો એવી ન હોવી જોઈએ કે જ્યાં બેટર અથવા બોલર સંપૂર્ણ રીતે વર્ચસ્વ ધરાવતા હોય. એટલા માટે ICC દરેક મેચ પછી પિચ રેટિંગ જારી કરે છે.

ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ મેચની પિચને એવરેજ રેટિંગ મળ્યું હતું. એવરેજ એટલે કામ ચલાઉ. પરંતુ ઈન્દોરની પિચને ખરાબ રેટિંગ મળ્યું છે. મતલબ કે આવી પિચ સ્વીકાર્ય નથી.

હવે જાણીએ ભારતને સ્પીન ટ્રેક બનાવવા કયા નુકસાન ભોગવવા પડે છે..
1.ભારતના બેટર રન બનાવવાનું ભૂલ્યા

સ્પિનિંગ ટ્રેક પર માત્ર વિદેશી બેટર જ નહીં પણ ભારતના સ્ટાર પ્લેયર્સ પણ સ્ટ્રગલ કરી રહ્યા છે. 1 જાન્યુઆરી 2021થી અત્યાર સુધી રિષભ પંત સિવાય કોઈ પણ ભારતીય બેટર ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય પિચ પર 50થી ઉપરની એવરેજથી રન બનાવી ન શક્યા. 2021થી પહેલા સુધી 50ની ઉપરની એવરેજથી રન બનાવનાર વિરાટ કોહલી આ દરમિયાન ભારતમાં 10 ટેસ્ટ મેચમાં 25ની એવરેજથી માત્ર 400 રન બનાવી શક્યા છે. ચેતેશ્વર પુજારાની એવરેજ 23ની છે.

2.વિદેશમાં પણ આવી સ્પાઈસી પિચ મળે છે
જો આપણે વિદેશી બેટરને ફેઈલ કરવા આવો સ્પિન ફ્રેન્ડલી ટ્રેક બનાવીએ છે તો તેના બદલામાં આપણને પણ વિદેશમાં પેસ ફ્રેન્ડલી પિચ મળે છે. વિદેશી ટીમ ભારત પાસે હિસાબ બરાબર કરવા આવું કરે છે. આથી આપણા મોટાભાગના બેટર વિદેશમાં સ્ટ્રગલ કરે છે.

3.ઘરમાં જ પોતાની જાળમાં ફસાવાનું જોખમ
જો પિચ બોલર્સ માટે ખૂબ મદદરૂપ બને છે, તો ઘણી વખત વિદેશી ટીમ પણ તેના પર પ્રભુત્વ ધરાવે છે. 2017માં પુણે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને ખરાબ પિચ પર હરાવ્યું હતું. પછી સ્ટીવ ઓ'કીફે નામના ગુમનામ સ્પિનરે ભારતના બેટર્સનું જીવન મુશ્કેલ બનાવી દીધું. આ જ દ્રશ્ય ઈન્દોર ટેસ્ટમાં પણ જોવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...