તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ: એક તરફ જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ પકડાઇ રહ્યા છે ત્યારે ભરૂચની સબજેલમાં કેદીઓ માટે ટેલિફોન બૂથ ઉભુ કરાયું છે. શનિવારે ભરૂચ સબજેલમાં જેલ અધિક્ષક અને જેલરે ટેલિફોન બુથને ખુલ્લું મુકાયું હતું. આ ટેલિફોન થકી કેદીઓ અઠવાડિયામાં 3 દિવસ પોતાના પરિવાર સાથે 5 મિનિટ સુધી વાતચીત કરી શકશે.
શનિવારે જેલ અધિક્ષક આઈ.વી.ચૌધરી અને જેલર બી.એસ.માછીએ કેદીઓ માટે ટેલીફોન બુથનો પ્રારંભ કરાયો છે. જેના થકી જેલમાં સજા કાપી રહેલા કેદીઓ અઠવડીયામાં ત્રણ વખત પોતાના પરિવારજનો, માતા-પિતા, પત્ની, ભાઈ-બહેન, પુત્ર- પુત્રી સાથે 5 મિનિટ વાત કરીને ખબર અંતર પૂછી શકશે. આ ટેલીફોન બુથ સાથે રેકોડીંગ ડિવાઈસ સિસ્ટમ સાથે જોઈન્ટ હોવાથી તેમની તમામ વાતો પણ રેકોર્ડ કરાશે. ટેલીફોન બુથ પર વાત કરવાના 5 મિનિટના પાંચ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જેમાંથી થતી આવક કેદી વેલ્ફેર ફંડમાં વાપરવામાં આવશે. કેદીઓ પાસેથી પરિવારના મોબાઈલ અને ફોન નંબર મેળવી તેની ખરાઈ કરીને વાત ચીત કરવામાં આવશે.
કેદીઓ હવે જેલમાંથી ફોન પર વાત કરી શકશે
જેલમાં મોબાઇલ અને સિમકાર્ડ પકડાવાના કિસ્સા વધતાં જેલતંત્રે કેદીઓને ટેલિફોન સુવિધા આપવા નક્કી કર્યું છે.ભરૂચ સબજેલમાં પ્રથમવાર નવતર પ્રયોગ રૂપે ટેલિફોન બૂથ ચાલુ કર્યું છે. - આઈ.વી.ચૌધરી, જેલ અધિક્ષક, ભરૂચ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.