રાજકોટઃ રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાંથી 20 તબીબની બદલી એમસીઆઈના ઈન્સ્પેક્શનના નામે સુરત, વડનગર, જામનગર અને વડોદરા કરી દેવાઈ છે. ઈન્સ્પેક્શન તો ત્યાં થશે પણ હાલાકી રાજકોટના દર્દીઓને થશે. આટલા પ્રમાણમાં ફેકલ્ટીની બદલી થઇ જતા શૈક્ષણિક કાર્ય થંભી જશે. પીડીયુ મેડિકલ કોલેજમાં મંજૂર મહેકમ 300 પ્રોફેસરનું છે તેની સામે માંડ 200 કરતા ઓછા તબીબ ફરજ નિભાવી રહ્યા હતા તેમાંથી વધુ 20ની બદલી કરાઈ છે. હવે માત્ર 180 મેડિકલ પ્રોફેસર જ વધ્યા છે.
દર્દીઓને અસર થશે
ડેન્ગ્યુમાં શરીરમાંથી પ્લેટલેટ ઘટી જાય એટલે હાલત કફોડી થઇ જાય. મેડિકલ કોલેજના સ્વાસ્થ્યમાં પ્રોફેસરનું કામ પ્લેટલેટ જેવું જ છે અને ત્યાં 300ના કાઉન્ટને બદલે 180 થઇ ગયા એટલે કે અડધા થઇ ગયા છે. 20 તબીબની ઘટ થતાં મોટાભાગના વિભાગોમાં ઓપીડીની જવાબદારી રેસિડેન્ટને સોંપાશે અને રેસિડેન્ટ ડોક્ટર તેને વધારાના બોજા તરીકે જ લેશે જેની સૌથી વધુ અસર દર્દીઓને થશે. કારણ કે, સર્જરી, ઓપીડી આ બધી જવાબદારી પ્રોફેસર પર હોય છે. આ ઉપરાંત તબીબી પ્રમાણપત્રોમાં પણ તેમની જ સહી હોય છે તેથી સહીઓ માટે કતારો લાગશે અને બિનઅનુભવી રેસિડેન્ટ ઓપીડી પર હોવાથી યોગ્ય અને સચોટ નિદાનની કોઇ ગેરંટી નહીં રહે.
શૈક્ષણિક કાર્ય
સિવિલ હોસ્પિટલ
700ની જરૂરિયાત સામે મહેકમ 300, હાલ 180 જ પ્રોફેસર ઉપલબ્ધ
મેડિકલ કોલેજના ભૂતપૂર્વ સિનિયર પ્રોફેસરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, અમુક વિભાગોમાં સીટની સંખ્યા વધારી દેવાઈ છે જેથી હાલના તબક્કે 700 પ્રોફેસરની જરૂરિયાત છે. તેની સામે કામ તો માંડ 180 કરી રહ્યા છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં વર્ક લોડ મુજબ પ્રોફેસરની ફાળવણી કરવાની થાય તો તેના કરતા પણ આંક વધી શકે છે. કોઇને કોઇ કારણોસર ભરતીઓ અટકી જાય છે અને મહેકમ વધારાતું નથી. જેથી અંતે તો દર્દીઓને હાલાકી થાય છે અને રેસિડેન્ટ ડોક્ટર માટે અભ્યાસ એક બોજારૂપ બની જાય છે અને જલ્દીથી છુટકારો મળે તેેની રાહ જોતા હોય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.