તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટઃ ઉત્તરાયણ મંગળવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લોકો ઉત્સાહભેર મનાવશે. ખરેખર ઉત્તરાયણ એ પતંગ ઉડાવવાનો ઉત્સવ છે, પરંતુ આજે લોકોએ એકબીજાનો પતંગ કાપવાની લહાયમાં ધારદાર અને કાચથી તૈયાર કરેલી તીક્ષ્ણ દોરીથી પતંગ ચગાવવાની મજા લઇ રહ્યા છે તેનો પક્ષીઓ ભોગ બની રહ્યા છે. પરંતુ બીજી બાજુ એવા લોકો, સંસ્થા અને સંગઠન પણ છે જે ઘાયલ પક્ષીઓની શોધી શોધીને સારવાર કરશે, સર્જરી પણ કરશે અને તેનો જીવ બચાવશે.
4થી 6 પક્ષીઓનો પાછા આવવાનો સમય
કરુણા ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણ દરમિયાન 16 નિષ્ણાત ડોક્ટરની ટીમ તૈયાર કરી છે. શહેરમાં છ જગ્યાએ સારવાર કેન્દ્રો ધમધમશે અને ઉત્તરાયણને દિવસે 50 કાર્યકર્તાની ફોજ શહેરમાં ફરશે અને ઘાયલ પક્ષીઓને શોધી શોધીને તેની સારવાર કરવા કેન્દ્રોમાં લઇ આવશે. કરુણા ફાઉન્ડેશન દ્વારા લોકોને પણ અનુરોધ કરાયો છે કે સવારે 6 થી 8 પક્ષીઓને ઘરેથી નીકળવાનો અને સાંજે 4થી 6 પક્ષીઓને ઘરે પાછા આવવાનો સમય હોય છે તેથી આ સમય દરમિયાન પતંગ નહીં ઉડાવી પક્ષીઓની જીવનદોર બચાવવાની છે.
ઉત્તરાયણ પર લોકોએ આટલું ન કરવું
શહેરમાં નવ સ્થળે કંટ્રોલ રૂમ કાર્યરત
સ્થળ | હેલ્પલાઈન નંબર |
ત્રિકોણબાગ | 9898019059 |
પેડક રોડ | 9998639382 |
આત્મીય કોલેજ | 9574400028 |
કિસાનપરા ચોક | 9574400028 |
માધાપર ચોકડી | 9574400028 |
ગોંડલ ચોકડી | 9898019059 |
વાવડી | 9898019059 |
પંચનાથ એનિમલ હોસ્પિટલ | 9428517600 |
નાગરિક બેંક ચોક, ઢેબર રોડ | 9724609502 |
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.