તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવી દિલ્હી: અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમકોર્ટના ચુકાદા વિરુદ્ધ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)એ ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. પીએફઆઈ મૂળ કેસમાં પક્ષકાર નહોતો તેમ છતાં ચુકાદા અંગે ફરી વિચારણાની માગ કરતાં કહ્યું કે આ ચુકાદાથી તેના હક પણ પ્રભાવિત થયા છે. તેણે અરજી પર જાહેર કોર્ટમાં ચર્ચાની માગ કરી હતી.
સુપ્રીમકોર્ટે 9 નવેમ્બરે આપેલા ઐતિહાસિક ચુકાદામાં અયોધ્યામાં જમીનના માલિકીના હક રામલલ્લા વિરાજમાનને સોંપ્યો હતો અને મસ્જિદ માટે સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન અલગથી આપવા કહ્યું હતું. તેના પર મુખ્ય પક્ષકારોએ કોઈ અસંમતિ ન વ્યક્ત કરી પણ અનેક સંસ્થાઓ જરૂર અસંમત થઇને સુપ્રીમકોર્ટ પહોંચી હતી પણ મૂળ પક્ષકાર ન હોવાને લીધે સુપ્રીમકોર્ટે તેમના પર ધ્યાન જ નહોતું આપ્યું. કોર્ટે પીસ પાર્ટીની ક્યૂરેટિવ પિટિશન પણ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.