Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
500થી વધુની અટકાયત
500થી વધુની અટકાયત
સોમવારનીઘટના અને મંગળવારે કરાયેલા ચક્કાજામ-તોડફોડ બાબતે જૂનાગઢ, જામનગર સહિતના સ્થળોથી 500થી વધુ લોકોની અટકાયત કરાઈ છે. ધોરાજીમાં બસને આગ ચાંપવાના કેસમાં 8 સામે ફરિયાદ નોંધાઈ હતી.
અમદાવાદ | દલિતો દ્વારા બસોને આંગ ચાંપવા અને તોડફોડ કરવાની ઘટનાને પગલે નિગમ દ્વારા પેસેન્જરોના હિતમાં સલામતી સહિતના પગલાને ધ્યાનમાં રાખી મંગળવારે રાજકોટ - જૂનાગઢ રૂટ ઉપરાંત અમરેલી અને જુનાગઢ જિલ્લાના તમામ ડેપો સંપૂર્ણ બંધ રાખવાની સાથે સૌરાષ્ટ્રની 400થી વધુ બસોના પૈડાં થંભાવી દીધા હતા. જેના કારણે 12000 મુસાફરો અટવાઈ ગયા છે.
400 બસ બંધ, 12 હજાર મુસાફર અટવાયા
અમદાવાદમાં કલેક્ટરઓફિસની સામે યુવાને ઝેરી દવા પીધી હતી.
અમરેલીમાં પોલીસપર દલિતોનો પથ્થરમારો.
હું દલિતોના સમર્થનમાં છું: હાર્દિક
ઉદયપુર:દલિત અત્યાચાર મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે ઉદયપુરમાં મંગળવારે જણાવ્યું કે હું દલિતોના સમર્થનમાં છું, તેમના પર અત્યાચાર થયો છે અને તેમની જે માગો છે તે વાજબી છે.
મોરબી
મોરબીના માળિયા-મિયાણા ચોકડી પર બેસી દલિત યુવાનોએ ચક્કાજામ કર્યો હતો.