આદિવાસી દિવસ નિમિત્તે અમીરગઢમાં આદિવાસી સમાજની રેલી
આદિવાસી દિવસ નિમિત્તે અમીરગઢમાં આદિવાસી સમાજની રેલી
DivyaBhaskar News Network
Aug 10, 2018, 02:00 AM IST
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જિલ્લામાં આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકામાં આદિવાસી સમાજની રેલી નીકાળવામાં આવી હતી. અમીરગઢ મામલતદાર કચેરીથી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે ઇકબાલગઢ સહિતના ગ્રામીણ વિસ્તારમાં ફરી વિરમપુર દેવ ડુંગરપુરીજીની ધૂણીએ સભા યોજી સમાજ સુધારા માટે ચર્ચા વિચારણા કરી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. તસવીર-ભવર મીણા