આચાર્ય ઉદયકીર્તિસાગર- મનોહરકીર્તિસાગર સુરીશ્વરજી વિજાપુરના પાશ્ચૅનાથ મંદિરે આવ્યા
વિજાપુર : ૭ કરોડ નવકારમંત્ર ૧૩ લાખ લોગસ્સના જાપના આરાધક તપાગચ્છાધિપતિ આચાર્ય ઉદયકીર્તિસાગર ભગવંત શ્રીમદ મનોહરકીર્તિસાગર સુરીશ્વરજી મહારાજા તથા આચાર્ય ઉદયકીર્તિસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ હર્ષોલ્લાસ ભર્યા ભીલડીયાજી મહાતીર્થ પ્રતિષ્ઠા મહોત્સવ એવં ૧૨૦૦ યાત્રીકો સાથે પગપાળા રાધનપુર શંખેશ્વર છ\\\'રી પાલિત સંઘ સુંદર આરાધના પૂર્વક સંપન્ન કરી આજે વિજાપુર શ્રી સ્ફૂલિંગ પાશ્ચૅનાથ જૈન તીર્થ-બુધ્ધિસાગર સુરી જૈન સમાધિ મંદિર આવી ગયા છે.