Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડીસામાં પ્રસૂતાના મોત મામલે પરિવારે રેલી યોજી ન્યાય માંગ્યો
ડીસાની આનંદ હોસ્પિટલમાં પ્રસૂતાના મોતને લઇને પરિવારે ન્યાયની માંગ સાથે સોમવારે વિશાળ રેલી નીકાળી હતી. ડીસાના વૈષ્ણવ સમાજના આગેવાનો એકઠા થઇ નાયબ કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે ડોક્ટરો એસોસિએશન પણ આવેદનપત્ર આપી પોતાની સામે થઇ રહેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
ડીસામાં અઠવાડિયા અગાઉ ડૉ.સી.કે.પટેલની આનંદ હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મોત થયું હતુ. આ મામલે હોસ્પિટલમાં હગામા બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલાને સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો. જે મામલે વૈષ્ણવ સમાજે સોમવારે મૃતક કિરણ વૈષ્ણવના સમર્થનમાં વિશાળ રેલી નીકળી હતી. જેમાં તેની બાળકીઓ દ્વારા \\\"અમને ન્યાય અપાવો, અમારો શું વાંક’ ના સ્લોગન સાથે ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બીજીતરફ સમગ્ર મામલે ડીસા ડોક્ટર એસોસીએશન પણ સામે આવ્યું હતું. ડીસાના ડોક્ટરોએ ભેગા થઈ વૈષ્ણવ સમાજના આવેદનપત્રની સામે આવેદનપત્ર આપ્યું હતું.
ડીસાની આનંદ હોસ્પિટલમાં પ્રસૂતાના મોતને લઇને પરિવારે ન્યાયની માંગ સાથે સોમવારે વિશાળ રેલી નીકાળી હતી. ડીસાના વૈષ્ણવ સમાજના આગેવાનો એકઠા થઇ નાયબ કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે ડોક્ટરો એસોસિએશન પણ આવેદનપત્ર આપી પોતાની સામે થઇ રહેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
ડીસામાં અઠવાડિયા અગાઉ ડૉ.સી.કે.પટેલની આનંદ હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન મોત થયું હતુ. આ મામલે હોસ્પિટલમાં હગામા બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલાને સંકેલવાનો પ્રયત્ન કર્યો હતો. જે મામલે વૈષ્ણવ સમાજે સોમવારે મૃતક કિરણ વૈષ્ણવના સમર્થનમાં વિશાળ રેલી નીકળી હતી. જેમાં તેની બાળકીઓ દ્વારા \\\"અમને ન્યાય અપાવો, અમારો શું વાંક’ ના સ્લોગન સાથે ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બીજીતરફ સમગ્ર મામલે ડીસા ડોક્ટર એસોસીએશન પણ સામે આવ્યું હતું. ડીસાના ડોક્ટરોએ ભેગા થઈ વૈષ્ણવ સમાજના આવેદનપત્રની સામે આવેદનપત્ર આપ્યું હતું.