તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટઃ ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ રાજકોટની મુલાકાતે આવ્યા છે, અહીં તેઓએ એક પત્રકાર પરિષદ યોજી હતી, ત્યારબાદ તેઓએ વેપારીઓ સાથે એક સેમિનારમાં હાજરી આપી હતી, આ દરમિયાન મનમોહનસિંઘ પ્રોટોકોલ તોડી એક વૃદ્ધને મળવા માટે ગયા હતા, પરંતુ આ વૃદ્ધે મનમોહનસિંઘને કોંગ્રેસના રાજમાં કેટલાક ભ્રષ્ટ નેતાઓની બૂક દેખાડતા ચર્ચાનો વિષય બન્યા હતા.
250 પેજની બૂક બતાવી
રાજકોટ આવેલા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ સાથે હાસ્યાસ્પદ ઘટના બની હતી, વેપારીઓ સાથે સેમિનારમાં જોડાયા બાદ મનમોહનસિંઘ પરત ફરી રહ્યાં હતા, તે દરમિયાન એક વૃદ્ધ જેમનું નામ મનસુખભાઇ છે તેઓ હાથમાં બૂક લઇને બૂમો પાડી રહ્યાં હતા, મનમોહનસિંઘને થયું તે કોંગ્રેસના વરિષ્ઠ કાર્યકર હશે આથી તેઓ તેને મળવા માટે પ્રોટોકોલ તોડ્યો હતો, જો કે મનસુખ પાસે પહોંચતા જ એ વૃદ્ધે મનમોહનસિંઘને યુપીએકાળમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે જણાવવાનું શરૂ કરી દીધું, મનસુખભાઇએ કહ્યું કે યુપીએના શાસનમાં સાત પ્રધાનો દોષિત સાબિત થયા, એટલું જ નહીં મનસુખભાઇએ પોતાની સાથે લાવેલી 250 પેજની બૂક પણ બતાવી જેમાં યુપીએકાળમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે લખાયેલું હતું.
આગળની સ્લાઇડ પર ક્લિક કરી જુઓ વધુ તસવીરો....
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.