રાજકોટ ઃ પ્રકૃતિ આયુર્વેદમ દ્વારા જન્મથી 16 વય સુધીના બાળકોને વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપાં 10 ઓગસ્ટના બપોરે 3 થી 7 દરમિયાન ગાયત્રી બિલ્ડિંગ ત્રીજો માળ, ભૂતખાના ચોક, બસ સ્ટેશન પાસે રાજકોટ ખાતે પીવડાવવામાં આવશે. સુવર્ણપ્રાશનના ટીપાં બાળકોની શારીરિક, માનસિક શક્તિઓના વિકાસમાં ખૂબ જ ઉપયોગી હોય વાલીઓએ ઉપરોક્ત વયના પોતાના સંતાનોને ટીપાં પીવડાવવા અનુરોધ કર્યો છે.