આસ્થા | 1 એપ્રિલે રાંદલ માતાજીના લોટા તેડવાનો ઉત્સવ ઉજવાશે
રાજકોટ | યુવા સેના ટ્રસ્ટ દ્વારા 1 એપ્રિલના રાંદલ માતાજીના લોટા તેડવાનો ઉત્સવ ઉજવાશે. માતા રન્નાદેનું શાસ્તોત્રક્ત વિધિથી સવારે 8 કલાકે સ્થાપન કરાશે. રાંદલ સ્વરૂપા ગોરણીઓના પગ ધોવા સાથે ભેટ અપાશે. મંત્રોચ્ચાર સાથે પૂજન કરી સવારે 11.30 કલાકે ગોરણીઓને ભેટ અને પ્રસાદ વિતરણ કરાશે. સાંજે 4 કલાકે માતાજીના ઘોડા ખૂંદવાનો કાર્યક્રમ અને ધૂન મંડળની બહેનો ધૂન, ભજન રજૂ કરશે.