Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
26મી માટે 3 મુખ્ય માર્ગ પર પીપીપીના ધોરણે સુશોભન
26મી જાન્યુઆરીના અનુસંધાને શહેરભરમાં માર્ગો અને ઈમારતોમાં રિપેરિંગ અને સુશોભન ચાલી રહ્યા છે. મનપાએ મુખ્ય માર્ગો તેમજ ચોકને પીપીપીના ધોરણે સંસ્થાઓ અને કંપનીઓને સોંપી કામ કરાવવાનું શરૂ કરી દીધું છે.
શહેરના કાલાવડ રોડ, રેસકોર્સ રોડ અને નાનામવા રોડ પર ડિવાઈડર પર રંગરોગાન અને સુશોભનની જવાબદારી પીપીપીના ધોરણે અપાઈ છે. આ જ રીતે શહેરના 39 જેટલા સર્કલ તેમજ ચોક આ ઉપરાંત 15 નાના માર્ગો પણ જનભાગીદારીથી સુશોભિત કરવામાં આવી રહ્યા છે. ખાનગી કંપનીઓ, શાળાઓ તેમજ સામાજિક સંસ્થાઓ આ કામ માટે આગળ આવી છે અને જે તે સર્કલ અને રોડ પર તેઓ સુશોભન કર્યા બાદ પોતાના ફ્લોટ પણ ત્યાં મૂકી શકશે. સરકારી તંત્રના આરોગ્ય વિભાગ સહિતના વિભાગોને પણ અલગ અલગ સર્કલ સોંપવામાં આવ્યા છે. મોટાભાગના ડિવાઈડર તેમજ ચોકમાં મનપાએ રિપેરિંગ કામ એક માસથી હાથ ધર્યું હતું જે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. લગભગ તમામ માર્ગોના ડિવાઈડર પર કલર થઈ ચૂક્યા છે અને 15મીથી ફરી એકવખત તેના પર કલર કરવામાં આવશે અને 20મી સુધીમાં રિપેરિંગ અને કલરકામ પૂરા કરી દેવાશે.