તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાણાવાવ: પોરબંદરના બરડા ડુંગર મધ્યે આવેલ ખંભાળા ગામે એક કરોડ રૂપિયાના ખર્ચે અધતન સુવિધાથી સજ્જ મહેર સમાજ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મહેર સમાજ ભવનનું નવનિર્માણ થતા લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ત્રણ દિવસ સુધી અખંડ રામધૂનન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહેર જ્ઞાતિના શિરોમણી માલદેવ રાણા કેશવાલાની મૂર્તિ નું અનાવરણ થયું હતું.
આ કાર્યક્રમમાં જાણીતા કેળવણીકાર અને ભામાશા ડો.વીરમભાઇ ગોઢાણીયાએ આ સમાજભવન સર્વાંગી સદુપયોગ માટે વપરાય તેવી હાકલ કરી હતી. અને આધુનિક સમયમાં દેખાદેખીના કારણે લગ્ન પ્રસંગોમાં પણ ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે. તેમાં ઘટાડો કરવા અનુરોધ કર્યો હતો. અને સમાજમાંથી કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે મહેર ભવનના નવનિર્માણમાં ખડે પગે રહેનાર કાનાભાઈ આગઠ અને વૈદેવભાઈ દાસાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સંતો મહંતો સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.