- Gujarati News
- રાણાવાવ મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
રાણાવાવ મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
પોરબંદર |પોરબંદર નજીક આવેલા રાણાવાવમાં અબોટી બ્રહ્મસમાજની વાડીમાં તા. 5 જૂલાઇને રવિવારના રોજ સવારે 9 થી 1 દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને કેમ્પમાં જરૂરીયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે રક્ત મળી રહે તે માટે રાણાવાવ મિત્રમંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, તો કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લેવા જણાવાયું છે.