• Gujarati News
  • કાંકરીયા જેવું સરોવર રમણીય બની શકે છે રવિખખ્ખર

કાંકરીયા જેવું સરોવર રમણીય બની શકે છે /- રવિખખ્ખર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાંકરીયા જેવું સરોવર રમણીય બની શકે છે /- રવિખખ્ખર

સરોવર ખાતે મીની કાંકરીયા બની શકે તેવી તકો છે

સરકારગુજરાતમાંપર્યટનક્ષેત્રે વિકાસ કરવાની વાતો કરે છે ત્યારે ઐતિહાસિક નગરી વેરાવળ-સોમનાથમાં કુદરતે છૂટે હાથે બક્ષીસ વેરી હોય તેમ ઘણી તકો અને પૌરાણિક જગ્યાઓ છે ત્યારે જો સરકાર સોમનાથ સરોવરના જીણોદ્ધાર સાથે વિકાસની કામગીરી હાથ ધરે તો સોમનાથ સાનિધ્યે એક નવુ ફરવાલાયક પર્યટન સ્થળ પ્રાપ્ત થવાની સાથે મીની કાંકરીયા બની શકે તેમ છે સરોવરની આજુબાજુમાં ગાર્ડન, બોટીંગ સહિતની સુવીધા પણ ઉભી કરી શકાય તેવી તક પણ છે.

સરકારે એકસપર્ટએન્જિનીયરો મારફત સોમનાથ સરોવરને વિકસાવવા માટેનું આયોજન ઘડી કામગીરી હાથ ધરવી જોઇએ. તેમજ હાલની સ્થિતીમાં સરોવર પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે. ત્યારે હિરણ નદીનું પાણી સરોવરમાં જે ચેનલ મારફત આવી શકે તેમ છે ત્યારે ચેનલ પરનાં દબાણો દૂર કરી નાંખે તો નદીનું પાણી પણ સરોવરમાં પુરતા પ્રમાણમાં લાવી સરોવરને ભરી શકાય છે. તેમજ સરોવરને વિકસાવવામાં આવે તો શહેરીજનો સાથે કરોડો યાત્રિકોને ફરવાનું એક સ્થળ પ્રાપ્ત થવાની સાથે તેનો જશ સરકારને મળી શકવાની સાથે સ્થાનિક ટુરીઝમ ઉદ્યોગને પણ વેગ મળી શકે તેમ છે.

સરોવરને વિકસાવવાથી પર્યટનક્ષેત્રે વધારો થઇ શકે તેમ છે