150 ગાયોને સારવાર અપાઇ રહી છે
કેશોદની ગૌશાળામાં ગાયોને 500 કિલો કેરી ખવડાવાઇ
કેશોદમાંબીમાર ગાયોની સારવાર કરતી રાધેકિષ્ના ગૌશાળાનાં યુવાનો દ્વારા શહેર કે તાલુકામાં કોઇપણ સ્થળે ગૌવંશ બીમાર હોય તેમજ અકસ્માતમાં ઇજા પહોંચી હોય તો કોલ આવતાની સાથે યુવાનો ઇજાગ્રસ્ત ગૌ વંશને વાહનમાં ગૌશાળા ખાતે લાવી સારવાર કરે છે. અને નિયમીત નિસ્વાર્થ ભાવે સેવા આપે છે.તેમજ ઉનાળાની સિઝનમાં ગાયોને તરબૂચ ખવડાવવાની સાથે ગોળ,વરિયાળીનું શરબત પીવડાવી અને તાજેતરમાં 500 કીલો કેરીને ખરીદી કરી ગાયોને કેરી ખવડાવી હતી. સેવાકીય કાર્ય ગૌશાળામાં સેવા આપતા જમન બરવાડીયા, વિનુ રાયચુરા, વિપુલ ઠકરાર, કિશન બોરડ, પિન્ટ ગજેરા સહિતનાં 50 જેટલા યુવાનો કરી રહ્યા છે.
ગૌશાળામાં લુલી લંગડી અને બીમાર ગાયોને સારવાર આપવામાં આવે છે. જે કાયમી અશક્ત બને તેમને હંમેશા ગૌશાળામાં રાખવામાં આવે છે. આવી ગાયોને નદીઓ અને ગ્રંથોમાં આવતા દેવી-દેવતાઓના નામ આપવામાં આવે છે.યુવાનો ગાયને નામથી બોલાવે ત્યારે ગાય ભાંભરીને પ્રત્યુતર પણ આપે છે.