પ્રતિ કિલો ફેટે રૂ.652ના ભાવ ચૂકવાશે
જિલ્લા દૂધ સંઘનું ટર્ન ઓવર રૂ. 819 કરોડને પાર
માતૃ સભાસદના વારસદારોને રૂપિયા 35000ની સહાય
ઝાલાવાડમાં સૂરસાગર ડેરીની શ્વેતક્રાંતિ
સુરેન્દ્રનગરજિલ્લા દૂધ ઉત્પાદક સંધ સંચાલિત સૂરસાગર ડેરી ની સામાન્ય સભા શનિવારના રોજ યોજાઇ હતી. બેઠકમાં દૂદ સંઘનો વાર્ષિક ટર્ન ઓવર રૂ. 819 કરોડને પાર કર્યાની જાહેરાત કરાઇ હતી. જ્યારે પશુપાલકોને દૂધના ભાવ રૂ.70 કરોડ ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. આથી જિલ્લાની 778 દૂધ મંડળીઓના 1.32 લાખ પશુપાલકોને આર્થિક ફાયદો થશે.
ઝાલાવાડમાં શ્વેત ક્રાંતીનો પાયો સૂરસાગર ડેરીના દૂધ ઉત્પાદકોએ નાંખ્યો છે. સૂરસાગરડેરીમાં 778 દૂધ મંડળીઓ મારફતે દૈનિક સરેરાશ 5.31 લાખ કિલો દૂધનું સંપાદન કરાય છે. સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંધ વાર્ષિક રૂ.819 કરોડના ટર્ન ઓવર સાથે શ્વેતક્રાંતી સર્જી છે. ત્યારે સુરેન્દ્રનગર દૂધ ઉત્પાદક સંધસંચાલીત સૂરસાગર ડેરી ખાતે સામાન્ય સભા શનિવારનારોજ મળી હતી. બેઠકમાં સૂરસાગર શેરીનાં ચેરમેન રામભાઈ મેવાડાના અધ્યક્ષ સ્થાને ખેડૂતો, પશુપાલકો, અને દૂધ ઉત્પાદકો અ઼ગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2016-17માં રૂ.70,11,11,111 પશુપાલકોને ચૂકવવાનો નિર્ણય કરાયો હતો. ઉપરાંત ખેડૂતો , પશુપાલકોને દૂધની રકમ સીધી બેંકમાં જમા થયા તે માટે કેશલેશ ટ્રાન્ઝેક્શન માટે પ્રયાસો કરવાની હાકલ કરાઇ હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લાની 778 દૂધ મંડળીઓનાં લાખો પશુપાલકોની આર્થિક સધ્ધર વધશે.
સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંધની 778દૂધ મંડળીના સભાસદો છે. જેમાં દૂધ મંડળીઓના સભાસદ મૃત્યુપામે તો તેમના વારસદારોને રૂ.35000 સહાય ચૂકવવાના નિર્ણય કરાયો છે. આથી સૂરસાગર ડેરીના સભાસદોના પરિવારજનોમાં રાહતની લાગણી ફેલાઇ છે.
જિલ્લા દૂધ સંઘનું ટર્ન ઓવર એક હજાર કરોડ આંબવાની શકયતાથી સુરેન્દ્રનગર સૂરસાગર ડેરીએ શ્વેતક્રાંતિ સર્જી છે.
સૂરસાગર ડેરી ખાતેની સામાન્ય સભામાં પશુપાલકોને દૂધના ભાવ રૂપિયા 70 કરોડ ચૂકવવાનો નિર્ણય કરાયો
સૂરસાગર ડેરી પશુપાલકો પર મહેરબાન, 778 દૂધ મંડળીનાં 1.32 લાખ પશુપાલકોને આર્થિક ફાયદો થશે
^આ અંગે જિલ્લા દૂધ ઉત્પાદક સંધના ચેરમેન રામજીભાઇ મેવાડાએ જણાવ્યું કે પશુપાલકોના આર્થિક વિકાસ માટે અમો પ્રયત્નશીલ છીએ. જે અંતર્ગત 2016-17 માં વર્ષમાં દૂધ સંધે પ્રતિકિલો ફેટે રૂ.652 જેટલોભાવ દૂધ ઉત્પાદકોને ચૂકવાશે.> રામજીભાઇમેવાડા, ચેરમેન