જાફરાબાદનાં દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબીસમુદ્રમાં દિવસે દિવસે કરંટ વધી રહ્યો છે અને લો પ્રેશર જોવા મળી રહ્યું છે જેને પગલે રાજ્યના હવામાન વિભાગે ગુજરાતના તમામ બંદરો ઉપર 3 નંબરનું સિગ્નલ લગાડવાનું જણાવવામાં આવ્યું છે જેને પગલે આજે જાફરાબાદનાં દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સમુદ્રમાં ભારે મોજા ઉછળી રહ્યા છે અને આગામી કલાકોમાં 25 થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાને પગલે સિગ્નલ લગાવી દેવાયું છે અને માચ્છીમારો સમુદ્રમાં હોય તો તેઓને નજીકના બંદરે પહોંચી જવા અને અન્ય માચ્છીમારોએ સમુદ્રમાં નહીં જવા જિલ્લા વહીવટીતંત્રએ જાણ કરી છે.