સાવરકુંડલાથી ૧૪ કિમી દૂર ગાધકડામા આશાપુરા માતાજીનું મંદિર શ્રદ્ધા અને
સાવરકુંડલાથી ૧૪ કિમી દૂર ગાધકડામા આશાપુરા માતાજીનું મંદિર શ્રદ્ધા અને આસ્થાનું પ્રતીક છે. અનેક લોકો સૌરાષ્ટ્ર- ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી આસ્થાભેર શ્રદ્ધાળુઓ આવે છે. આજથી પ્રારંભ થનાર ચૈત્રી નવરાત્રી મહોત્સવ દરમ્યાન હવન, મહાઆરતી માતાજીને દરરોજ શણગાર અને પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગેની પુર્વ તૈયારી રમેશભાઈ ધામી પરિવારે કરેલ છે.તસવીર- સૌરભ દોશી