ઉના: ગીરગઢડાનાં વડવિયાળા ગામે ગોંદરા વિસ્તારમાં પાણીના અવેડાથી થોડે દૂર નાગજીભાઇ ડાયાભાઇનાં ઘરની પાછળનાં ભાગે આઠ માસનાં દીપડાનો મૃતદેહ મળી આવતાં રહીશોએ સરપંચ પાલાભાઇ સાંખટને વાકેફ કરી વન વિભાગને જાણ કરતાં સ્ટાફે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી અધિકારીઓને વાકેફ કરતાં તેઓ પણ રહેણાંકીય વિસ્તારમાં દીપડાનો મૃતદેહ મળ્યો તે આશ્વર્યજનક કહેવાય એમ જણાવ્યું હતું. તેમ છતાં તબીબ દ્વારા પીએમ કર્યા બાદ મોતનું કારણ બહાર આવશે.
ગુંદાળા ગામમાં સિંહ પરિવારનું રાત્રી રોકાણ
ઉનાનાં ગુંદાળામાં મામદભાઇ ઇસ્માલભાઇ ઉનડનાં ઘરની નજીક બે સિંહ, સિંહણ,સિંહબાળે ધામા નાંખતા લોકોએ માલઢોરને ઘરમાં પુંરી દિધા હતાં.
જંગલમાં ખોરાક મળતો ન હોવાની ચર્ચા
જંગલમાં વન્યપ્રાણીઓને પુરતો ખોરાક મળતો ન હોવાથી જંગલની બહાર ખોરાક શોધવા નિકળવુ પડે છે એવી ચર્ચા લોકોમાંથી સાંભળવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.