આજે સરગવાડા પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવ, વિદાય સમારોહ યોજાશે
જૂનાગઢ : જૂનાગઢના સરગવાડા પ્રાથમિક શાળા ખાતે આવતીકાલ તા.4 નાં રોજ સાંજે 6 કલાકે વાર્ષિકોત્સવ-2019 તેમજ ધો.8 નાં વિદ્યાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરાયું છે.
જૂનાગઢમાં સિનીયર સિટીઝન મંડળ દ્વારા નવી ઓફિસનું લોકાર્પણ કરાશે
જૂનાગઢ : જૂનાગઢ સિનીયર સિટીઝન મંડળ દ્વારા નિ:શુલ્ક દવાખાનું, નિદાન, દવા, પુસ્તકાલય, વાંચનાલય, યોગક્લાસ તથા વ્યાજબી ભાવે નમકીન વિતરણ શરૂ કરાશે ત્યારે આ માટેની નવી ઓફિસનું ઉદ્ઘઘાટન આગામી તા.6 નાં રોજ સિનીયર સિટીઝન બિલ્ડિંગ, નવા નાગરવાડા શેરી નં.2 ખાતે સવારે 10 કલાકે કરાશે. જેમાં હાજર રહેવા અનુરોધ કરાયો છે.