ઘટના બાદ ઈજાગ્રસ્ત થયેલા પૂનમબેનને શરૂઆતમાં જામનગરની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, ત્યાર બાદ વધારે સારવારની જરૂરીયાત જણાતા તેમને તાબડતોડ મુંબઈ સારવાર માટે રવાના કરવામાં આવ્યા હતા. જેમાં તેમની સાથે જામનગરના ડો.એ.ડી.રુપારેલિયા, જનરલ સર્જન ડો. ચેતન મહેતા મુંબઈ પહોચ્યા હતા. જ્યાં હરિકીશન રિલાઇન્સ મેડિકલ ફાઉન્ડેશન નામની હોસ્પિટલમાં તેમને સારવાર આપવામાં આવી રહી હતી અને એક કલાકની સર્જરી બાદ તબિયત સારી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
માનવતાના ધોરણે પણ ડિમોલિશન અટકાવાયું નહીં: વિપક્ષી નેતા
આ અંગે વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે અકસ્માતે સાંસદ તેમજ ત્રણ-ચાર લોકો કેનાલમાં પડી ગયા હોવા છતાં કોર્પોરેશનના અધિકારીઓએ માનવતાના ધોરણે પણ ડિમોલિશન કાર્યવાહી અટકાવી ન હતી. વિપક્ષના નેતા અસલમ ખીલજીએ જણાવ્યુ હતું કે એક તરફ મેટરની કોર્ટમાં સુનવણી થવાની હતી, છતાં ડિમોલિશન કરાયું જેથી જવાબદારો સામે કન્ટેન્ટ ઓફ કોર્ટ કરવામાં આવશે. ચાર કલાક સુધી લોકોને હેરાનગતિ થઈ તેનું પણ વળતર માંગવામાં આવશે. અકસ્માત બાદ વધારે જેસીબી મંગાવી શક્ય એટલું વધુ બાંધકામ તોડવા માટે કોર્પોરેશને ઉતાવળ આદરી હતી. અકસ્માત સમયે કોર્પોરેશનના અધિકારીઓએ બચાવવાની કોઈ જહેમત ઉઠાવી ન હતી. બીજી તરફ વીજ વિભાગ દ્વારા વીજ જોડાણ કાપી મીટર પણ લઈ જવાયા છે.
આગળની સ્લાઈમાં જુઓ સમગ્ર ઘટનાક્રમઃ પૂનમ માડમ કેવી રીતે નાળામાં પડી ગયા, અને તેમને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડાયા
તમામ તસવીરો : હિરેન હીરપરા, જામનગર