Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોર્પોરેશનને ડહાપણ લાધ્યું જાહેર કાર્યક્રમ રદ્દ કરી દીધો
કોરોના વાયરસના ભયના પગલે જાહેર મેળવડા અને કાર્યક્રમ સરકાર બંધ રાખી રહી છે તેના વચ્ચે જામનગર મહાનગરપાલિકાએ સીસી રોડનું ખાતમુહુર્ત અને 180 અવેજી સફાઇ કામદારો કાયમી કરવાનો કાર્યક્રમ ઘડી કાઢયો જેના માટે સ્ટેજ મંડપ વગેરે પણ ઓર્ડર અપાઇ ગયો હતો. 4 હજાર જેટલા અપેક્ષીત લોકો ભેગા થવાના હતાં. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થતાં ઉચ્ચ સરકારી અધિકારીઓ ચોંકી ઉઠયા હતાં અને મહાપાલિકાનું આ બુધ્ધિનું પ્રદર્શન જેવા પગલા માટે ફટકાર લગાવી હતી.જેના પગલે તાબડતોબ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. હવે ફકત ત્રણ-ચાર લોકોની હાજરીમાં ખાતમુહુર્ત થશે અને કાયમીના ઓર્ડરો કામદારોને કમિટી હોલમાં અપાશે.
સ્ટેજ અને મંડપનો કાર્યક્રમ હવે રદ કરાયેા છે : સીટી ઇજનેર
હા, સીસી રોડનું ખાતમુહુર્ત અને 180 અવેજી સફાઇ કામદારોને કાયમી કરવાના કાર્યક્રમમાં સ્ટેજ અને મંડપ રદ્દ કરવામાં આવ્યા છે હવે અમુક લોકો ખાતમુહુર્ત કરશે અને ઓર્ડર મહાપાલિકામાં અપાશે. > શૈલેષ જોષી, સીટી ઇજનેર
તા. 12 માર્ચના દિવ્યભાસ્કરનો અહેવાલ
હવે ત્રણ-ચાર જણા ખાતમુહુર્ત કરશે અને ઓર્ડર મહાપાલિકામાં અપાશે