ભાવનગર:ભાવેણાના ચિત્રકાર રસિક વાઘેલાનું રાધાકૃષ્ણનું ચિત્ર રાજકોટ ખાતે રૂા.1,35,000માં વેચાયું છે. બિલખા સ્ટેટના રાજકુમાર દ્વારા ખરીદાયેલા આ ચિત્રને ત્યાં બનનારી આર્ટ ગેલેરીમાં કલાની કદરરૂપે રાખવામાં આવશે.રાજકોટ ખાતે ભાવેણા વિઝ્યુઅલ આર્ટીસ્ટ ગ્રુપ દ્વારા રંગ અને રેખાંકનનો રંગોત્સવ તેવા નામ હેઠળ ત્રિદિવસીય પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
બિલખા સ્ટેટના રાજકુમાર કિશોરસિંહ વાળાએ ચિત્ર ઉપર પસંદગી ઉતારી
રેસકોર્સ વિસ્તારમાં ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતેના એક્ઝીબિશનમાં ભાવનગરના રસિક વાઘેલા ઉપરાંત અશોક કાલાણી, દિલિપ રાઠોડ, ધરતી રેલિયા, હિતેષ વાઢેર, ખ્યાતિ ભટ્ટ, તરૂણ કોઠારી, સહિતના ચિત્રકારોના ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કલાપ્રેમી અને બિલખા સ્ટેટના રાજકુમાર કિશોરસિંહ વાળાએ રાધાકૃષ્ણના આ ચિત્ર ઉપર પસંદગી ઉતારી હતી અને આર્ટ ગેલેરીમાં મુકવા માટે ખરીદ્યું હતું.
પાઠ્યપુસ્તકોથી માંડી અમેરિકાની આર્ટ ગેલેરી સુધી સિદ્ધી
રસિકભાઈ વાઘેલાના ચિત્રો રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળનાં પુસ્તકો ઉપર પસંદગી પામ્યા છે. ઉપરાંત અમદાવાદની લલિતકલા અકાદમી, મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીથી માંડી અમેરિકાની નેશનલ આર્ટ ગેલેરીમાં પણ તેમના ચિત્રોને સ્થાન મળેલું છે.
રાજસ્થાન સ્ટેટ તરફથી પણ માંગણી...
રાજસ્થાનના એક સ્ટેટ પરિવાર તરફથી પણ આ ચિત્ર ખરીદવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ મારુ ચિત્ર બિલખા સ્ટેટના રાજકુમાર કિશોરસિંહ વાળાને રૂા.1,35,000માં આપવાનું નક્કી થયું છે. એ રકમનો ઉપયોગ કલા માટે જ કરાશે.- રસિક વાઘેલા, ચિત્રકાર, ભાવનગર
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...