Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગોટાળો : ધો. 10 સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નો પૂછવામાં પરીક્ષકે કરેલી ભૂલો
ગુજરાત બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10 અને ધો.12ની પરીક્ષા હવે પૂર્ણતાના તબક્ક ભણી આગળ વધી રહી છે આજે લેવાયેલ ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું પેપર સંપૂર્ણપણે બ્લ્યુ પ્રિન્ટ આધારિત અને એકંદરે સરળ હતું. પ્રશ્નો ફેરવીને પૂછવાના મોહમાં પરીક્ષકે બે ત્રણ પ્રશ્નોમાં ભૂલ કરી ગયા હતા. જેમ કે પ્રશ્ન 16માં ખોટું વિધાન શોધવાનું હતું તેમાં ત્રીજા વિધાનમાં સાલ ખોટી હતી પણ સાથે સાથે ચોથા વિધાનમાં બસ, રેલ્વે, હવાઈ મુસાફરી વગેરેમાં 30 થી 50% રાહત મળે છે તેમ લખવાને બદલે 50%સુધીની રાહત લખી છે તે ભૂલ છે
પ્રશ્ન 17માં ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કરનાર પ્રજાના લક્ષણો પૂછેલા છે પરંતુ હકીકતમાં પાઠ્યપુસ્તક મુજબ કોઈ એક પ્રજાએ ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કર્યું જ નથી.પ્રશ્ન 18માં 500 રૂપિયાની ચલણી નોટ પર જેનો ફોટો છે તે સ્થાપત્યનું વર્ણન પૂછેલું છે.
હકીકતમાં પાઠ્યપુસ્તક માં કઈ નોટ પર શેનું ચિત્ર છે એવો કોઈ ઉલ્લેખ છે જ નહીં. સામાન્ય જ્ઞાનનો આ પ્રશ્ન અતિ પછાત ગામડાના વિદ્યાર્થીઓ જેણે કદાચ 500 ની નોટ જોઈ પણ ન હોય તેવું બની શકે.