અેપેક્ષ દ્વારા GST અંગે માર્ગદર્શન
ભાવનગર | હાલમાં જીએસટી સંદર્ભે વેપારીઓ ભારે વિમાસણમાં મુકાયા છે. ત્યારે મહારાષ્ટ્રના વેપારી મંડળ દ્વારા તાજેતરમાં ‘જીએસટીના પાલન’ સંદર્ભે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના અેપેક્ષ સોફ્ટવેર હાઉસના કિલોન મહેતાએ વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સેમિનારનું 500થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો.