- પાલેકરે કહ્યું- આજે દિલ્હીથી નક્કી કરવામાં આવે છે ગેલેરીમાં કોનું પ્રદર્શન લાગશે.
- સંસ્કૃતિ મંત્રાલયે સ્થાનિક કલાકારોની સમિતીને ભંગ કરી છે, ત્યારબાદ લોકોએ તેમણે ટોક્યા
મુંબઈઃ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની ટીકા કરવા માટે અભિનેતા અમોલ પાલેકરનાં ભાષણમાં ઘણી વખત રોક ટોક કરાઈ છે. પાલેકરે નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટ (NGMA)નાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. પાલેકરે NGMAમાં લગાવાયેલી ગેલરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, સ્થાનિક કલાકારોની સમિતીઓને ભંગ કરાઈ છે. દિલ્હી ખાતેથી નક્કી કરવામાં આવે છે કે કયા કલાકારનું ચિત્ર આર્ટ ગેલેરીમાં લાગશે. પાલેકર રવિવારે બપોરે આ મુદ્દે પુણેમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.
NGMAમાં આર્ટિસ્ટ પ્રભાકર બર્વેની યાદમાં એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. પાલેકરે તેના ઉદ્ધાટનમાં તેમની વાત મૂકી હતી. તેમણે કહ્યું કે 2017માં NGMA કોલકત્તા અને પૂર્વોત્તરમાં તેમની શાખા ખોલવા જઈ રહ્યા છે આ વાત જાણીને ખુશી થઈ છે. મુંબઈમાંં પણ તેને વધારવા અંગેનાં સમાચાર મળ્યા હતા. પરંતુ 13 નવેમ્બર, 2018ના રોજ વધુ એક ત્રાસ ફેલાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ ક્યૂરેટર જેસલ ઠક્કરે તેમણે ટોક્યા અને કહ્યું કે, તમે પ્રભાકર બર્વે વિશે બોલો આ કાર્યક્રમ તેમના યોગદાન અંગેનો છે.