વડોદરા: ઇટારસીમાં લાગેલી આગને કારણે સુરતથી ઉપડતી બે ટ્રેન વેસ્ટર્ન રેલ્વે દ્વારા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે ટ્રેનમાં સુરતથી સવારે સાડા નવ કલાકે ઉપડતી સુરત-છાપરા તથા સુરત-ભાગલપુર ટ્રેનનો સમાવેશ થાય છે. સુરત-છાપરા ટ્રેન આગામી 9, 10 અને 13 જૂલાઇના રોજ જ્યારે સુરત-ભાગલપુર ટ્રેન આગામી 11 જૂલાઇના રોજ રદ રહેશે.