Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુરુને મન ક્રિષ્ણ અને સુદામાં સરખા હોય છે
શહેરમાંગુરુ પૂર્ણિમા નિમિત્તે સ્કુલ, કોલેજ, યુનિવર્સિટીમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમા સ્ટુડન્ટ્સને દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ. વ્યાસમુનીનો જન્મ દિવસ ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો દિવસ છે.
દિવસે બધાં પોતાના ગુરુને યાદ કરે છે અને ગુરુ શિષ્યનું મિલન પણ દિવસે થતું હોય છે. આપણા ધાર્મિકગ્રંથોમાં પણ ગુરુ મહિમાને વર્ણવવામાં આવ્યો છે. ભગવાન ક્રિષ્ણએ કહ્યું પણ છે કે, ‘ગુરુને તમારે મારું સ્વરૂપ માનવું’. ગુરુ માટે પોતાના શિષ્યોમાં કયારેય કોઇ ભેદ નથી હોતો ગુરુને મન ક્રિષ્ણ અને સુદામાં સરખા હોય છે. જરૂરી નથી કે ગુરુ જ્ઞાતિ કે ધર્મના હોય. દર વર્ષે ગુરુપરુર્ણિમાના દિવસે બેંગ્લોરથી બરોડા આવતા આશિષ ખોકર કે.જી સુભ્રમન્યનમે ટ્રિબ્યુટ આપવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. અંગે આશિષ ખોકરે જણાવ્યું હતુ કે, ગુગલ, સ્કાઇપ આવવાથી સબંધોની પરિભાષા બદલાય રહી છે. આશિષ ખોકર છેલ્લા 18 વર્ષથી અટેન્ડન્સ નામની એન્યુઅલ ડાન્સ જર્નલ પબ્લિશ કરી રહ્યા છે. પ્રસંગે તેમની 43 બુક લોન્ચ થઈ છે ‘પુરુષ’.
હવે મેલ સોલો ડાન્સમાં પુરુષોનો ઇન્ટ્રેસ્ટ ઓછો થતો ગયો છે. કોન્સેપટ સાથે તેમને જર્નલ બહાર પાડી છે. સાથે ત્યાં ‘પુરુષ’ને હિસ્ટોરિકલ ફિલ્મ સ્ક્રીનિંગ માટે ખોકર ડાન્સ અર્ચીવ્સ અને પ્રકૃતિને ડૉ. અમી પંડ્યા, દિવ્યા પટેલ અને સૌમ્યના ડાન્સ દ્વારા ઇન્વોલ્વ કર્યું હતું. પ્રોફેસર અમિત ધોલકિયા અને કાંતિભાઈ રાણા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. ગુરુપૂર્ણિમા નિમિત્તે મ.સ.યુનિ.ના વિવિધ સંગઠનો દ્વારા ગુરુ પૂર્ણમાની ઉજવણી સંકુલમાં કરવામાં આવી હતી.
પ્રકૃતિનું સન્માન ગુરુનું સન્માન
છાત્રોને દિવસનું મહત્વ સમજાવાયું
આર્ટ ઓફ લિવિંગે પર્યાવરણ ડે ઉજવ્યો