તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આમ આદમીના હસ્તે જ સાદગીપૂર્ણ રીતે કરાયેલું ઉદ્ઘાટન
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ગોધરામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનુ સાદગીપૂર્ણરીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે છેક બાલાશિનોરથી લઇ સંતરામપુરમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.ગત દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્ય પક્ષોને હાર આપીને સૌપ્રથમ વાર ભવ્ય જીત મેળવનાર આમ આદમી પાર્ટીથી રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે.
આગામી યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી પણ જંગમાં ઉતરનાર છે.અને પંચમહાલની બેઠક પર પણ પક્ષે નજર દોડાવીને પૂર્વ તૈયારી આદરી છે. જેના ભાગરૂપ ગુરુવારે ગોધરાના બહારપુરા વિસ્તારમાં મધ્યસ્થ આમ આદમી પાર્ટી કાર્યાલયનું સાદગીપૂર્ણ રીતે આગેવાન અતુલભાઇ ઠક્કરના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે ખરેખર આમ આદમી કહેવાય તેવા સફાઇ કામદાર,કડીયા કામ કરનાર, રિક્ષા સંચાલકો વગેરે
હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.