ટેકનોલોજી તથા ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ
ગાંધીનગર | શંકરસિંહ વાઘેલા બાપુ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી તથા ફાર્મસીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તાજેતરમાં યોજાયો હતો. જેમાં એન્જિનિયરીંગ છેલ્લા વર્ષના, યુ.જી. બેન્ચ, ડિપ્લોમાં બેન્ચ, પી.જી. બેન્ચ તેમજ ફાર્મસીના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ તાજેતરમાં યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક શંકરસિંહ વાઘેલા, ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલા, કેમ્પસ ડાયરેક્ટર પ્રો.રવિકુમાર, એન્જિનીયરીંગના પ્રિન્સિપાલ ડો.કિંજલ અધવર્યું, ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો.ધર્મેશ ગોલવાલા તેમજ ડિપ્લોમા કોલેજના પ્રિન્સિપાલ પ્રો.ખાલીદ સિદ્દીકી ઉપસ્થિત રહ્યા હતા.