Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાતુર્માસ : ગુરૂની આજ્ઞામાં પરમાત્માની આજ્ઞા સમાયેલી છે, આચાર્ય નરરત્ન સુરિશ્વરજી
ગાંધીનગરમાંચાતુર્માસ પ્રસંગે પધારેલા આચાર્ય ભગવંત નરરત્ન સુરીશ્વરજીએ જણાવ્યુ કે નાના બાળકને પોતાની સુરક્ષા માટે જે રીતે સતત મા-બાપની છત્રછાયા હેઠળ રહેવું પડે છે. બાળકના હિતમાં છે. એજ રીતે મોહ અને માયાથી બચવા માટે આત્માને પરમાત્માની દેવની પરાધિનતામાં જીવવું એમાજ એની સુરક્ષા છે. એવા ભાવથી પરમાત્માના સરણનો અંગીકાર કરવો, પરમાત્માના પ્રતિનિધિ એવા ગુરૂ તત્વનું શરણ સ્વીકારો, દેવગુરૂ અને ધર્મની કૃપા તમને સંસારમાં તારી શકે છે. હ્દયમાં આત્માને લક્ષ્યમાં રાખીને જીવન જીવજો અને તેમાં માર્ગદર્શક તરીકે પરમાત્માને કેન્દ્રમાં રાખજો. ગુરૂની આજ્ઞામાં પરમાત્માની આજ્ઞા સમાયેલી છે. ગુરૂ આજ્ઞા શિરોમાન્ય ગણજો. પરમાત્માની આજ્ઞાને કેન્દ્રમાં રાખી ગુરૂ પ્રત્યે વફાદાર રહી આત્માને લક્ષમાં રાખી ધર્મ આરાધના કરી તમારી આત્માને મોક્ષ મેળે તેવી શુભેચ્છા તેમણે શ્રોતાઓને પાઠવી હતી.