Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદમાં રોકાતી 12 એક્સપ્રેસ અને સાપ્તાહિક ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો
રેલવેએ રતલામ રેલવે મંડળના વિવિધ સ્ટેશનો ઉપર ટ્રેનોના આવવા-જવાના સમયમાં ફેરફાર કર્યો છે. 29 ટ્રેનોની નવી સમયસારણી લાગુ કરી છે. તેમાં દાહોદ શહેરમાંથી પસાર થતી એક્સપ્રેસ અને સાપ્તાહિક મળીને 12 ટ્રેનનો સમાવેશ થાય છે. રતલામ મંડળથી પસાર થતી ટ્ર્નોના સમય પરિવર્તનની તૈયારીઓ ચાર માસ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવી હતી. હવે તેને લાગુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે, રેલવેની સ્થાઇ વ્યવસ્થામાં જુલાઇથી ટ્રેનોના સમયનો શેડ્યુલ લાગુ કરીને જાન્યુઆરીમાં તેમાં આંશિક બદવાલ કરાય છે. આ વખતે પણ
...અનુ. પાન. નં. 2
12472-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સ.-સવારે 9.38/9.40
12478-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સ.-સવારે 9.38/9.40
12910-નિઝામુદ્દીન-બાંદ્રા ગરીબરથ એક્સ.દાહોદ- રાત્રે12.44/12.45
12912-હરિદ્વાર-વલસાડ-બપોરે 12.17/12.19
12918-નિજામુદ્દીન-અમ.સંપર્કક્રાંતિ એક્સ. રાત્રે1.12/1.14
12926-અમૃતસર-બાંદ્રા પશ્ચિમ એક્સ.પરોઢે 5.57/5.59
12980-જયપુર-બાંદ્રા એક્સ. પરોઢે 5.38/5.40
15668-કામખ્યા-ગાંધીધામ એક્સ.બપોરે 1.12/1.14
19022-લખનઉ-બાંદ્રા ટર્મિનલ એક્સ.રાત્રે11.03/11.05
19024-ફિરોજપુર-મુંબઇ જનતા એક્સ.સવારે 7.15/7.17
19062-રામનગર-બાંદ્રા ટર્મિનસ એક્સ.-બપોરે 1.12/1.14
22934-જયપુર-બાંદ્રા ટર્મિનસ એક્સ.- રાત્રે 11.03/11.05