Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ જિલ્લામાં અકસ્માતની 3 ઘટનામાં 3ના મોત : ચારને ઇજા
દાહોદ જીલ્લામાં અકસ્માતની ચાર ઘટનામાં બની હતી. જેમાં ફતેપુરાના મકવાણાના વરુણા ગામના કાળુભાઈ મલાભાઇ પરમાર, સુરેશ ભાઈ કાંન્તુભાઈ પરમાર તથા નરેશભાઈ ગલાભાઈ પરમાર ગતરોજ જીજે-૨૦.એસી.૨૩૨૪ નંબરની બાઇક ઉપર નાની ઢઢેલી ગામે ચાંદલા વિધિમાં ગયેલ હતા. જ્યાંથી પરત ફરતા રાત્રે11.30 વાગ્યાના અરસામાં ઢઢેલી રોડ વળાંકમાં કાળુભાઈએ બાઇક ઉપરનો કાબૂ ગુમાવતા રસ્તાની સાઈડમાં આવેલ વૃક્ષ સાથે જોશભેર ટકરાઈ હતી. જેમાં ત્રણેયને ગંભીર ઇજાઓ થતાં સુરેશભાઈ પરમાર અને કાળુભાઇ પરમારનું મોત નીપજ્યુ હતું. ટીમરડા ગામના રાજુભાઇ વિછીયાભાઇ મેડા જીજે-20-એસી-1189 નંબરની બાઇકને તેની સાસરી મંડાવાવ ખાતે જવા માટે નિકળ્યો હતો. ત્યારે બપોરના બે વાગ્યાના અરસામાં નવાગામ ચોકડીથી થોડે દૂર દાહોદ તરફ જતા રસ્તા ઉપર પાછળ આવતી જીજે-20-એએમ-6708 નંબરની બાઇકના અજાણ્યા ચાલકે રાજુભાઇની બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા માથામાં ગંભીર પ્રકારની ઇજાઓથી મોત થયુ હતું. ગરબાડા તાલુકાના પાટીયા ગામે જેમાં પાટીયા ગામના શૈલેષભા પુનીયાભાઇ ભુરીયા પોતાની જીજે-20-એજી-6925 નંબરની બાઇક ગફલતભરી રીતે હંકારી કાજુભાઇ સોમજીભાઇ ભુરીયાની જીજે-20-
...અનુ. પાન. નં. 2
નવાગામ, ઉસરવાણ, પાટિયા, નાની ઢઢેલી ગામે બનેલા બનાવ