તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
-માર્ચ માસમાં આચાર સંહિતા અમલમાં હોવાથી ઝડપથી મંજુરીઓ આપવા અધિકારીઓની દોડધામ
-ખાતમુહૂર્ત કરવા નેતાઓને રસ
લોકસભાની ચૂંટણીના ભણકારાં વાગી રહ્યા છે અને ગમે ત્યારે આચાર સંહિતા બારણે ટકોરાં મારી રહી છે. આ ધમાધમમાં વિકાસ કામોને ઝડપથી સૈદ્ધાંતિક મંજુરથી લઈ ટેન્ડર બહાર પાડવા, વર્કઓર્ડર આપવાની ઉતાવળમાં તંત્રનો એક આખો વર્ગ કામે લાગી ગયો છે. કરોડોના કામો મંજુર કરવા તંત્ર પાસે થોડો સપ્તાહ જેવો સમય બાકી રહ્યો છે.આણંદ જિલ્લા સહીત દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે, આ ચૂંટણીની જાહેરાત એક સપ્તાહના ટૂંકાગાળામાં થાય તેવી શક્યતા ઉચ્ચ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.
આ ઉપરાંત માર્ચ માસ દરમિયાન આચાર સંહીતા અમલમાં હોવાના કારણે એક તરફ નાણાકીય વર્ષ પૂર્ણ થશે.આ ગાળામાં વિકાસના કામોની દરખાસ્તથી લઈ છેક ટેન્ડરીંગ, સૈદ્ધાંતીક મંજુર સહીતની કામગીરી આટોપી લેવા તંત્ર પર દબાણ વધ્યું છે. આણંદ જિલ્લાની ૧૧ નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતો સહીત કેટલીક સરકારી કચેરીઓ પણ ટેન્ડીંગની કામગીરી ઝડપથી બનાવવામાં આવી છે. જ્યારે ઉચ્ચ કક્ષાએ પણ દરખાસ્ત મંગાવી તેની મંજુર માટે અધિકારીઓમાં દોડધામ જોવા મળી રહી છે.
પાલિકા વિસ્તારમાં આચાર સંહીતા પહેલા કામો શરૂ કરાશે
'દર મહીને તાંત્રિક સમિતિની બેઠક મળે છે, જેમાં મહીના દરમિયાનની દરખાસ્તોને વહીવટી મંજુર આપવામાં આવે છે. જિલ્લાની ૧૧ પાલિકાની દરખાસ્તો નિયમિત મંજુર કરવામાં આવે છે. અલબત્ત, આચારસંહીતા આવે તે પહેલા ટેન્ડરીંગ થઈ ગયું હોય તેવા કામોના વર્કઓર્ડર આપી કામો ઝડપથી શરૂ થાય તે બાબતે ધ્યાન આપવામાં આવશે. આચારસંહીતા પહેલા કામગીરી શરૂ થઈ જવી જરૂરી છે.’ - ટી.એન. શાસ્ત્રી, ડીએમઓ, આણંદ.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.