પેટલાદ શાખા કેનાલમાં છેલ્લા ઘણા સમયથી રાત્રીના સમયે અજાણ્યા ટેન્કર ચાલકો દ્વારા ઝેરી કેમિક્લયુક્ત રસાયણનો નિકાલ કરતા હોવાની ફરિયાદ વધવા પામી છે. સિંચાઈ ખાતુ તેમજ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગંભીરતા પૂર્વક આ અંગે તપાસ હાથ ધરીને લોક આરોગ્ય સામે ચેડાં કરતા તત્વો સામે નિષ્ક્રિયતા દાખવી રહ્યાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. જેના કારણે એક-બે દિવસના અંતરે રાત્રિના સમયે કેનાલના પાણીમાં રસાયણયુક્ત ઝેરી કેમિક્લનો નિકાલ કરવાનો સિલસિલો યથાવત છે.
આ કેનાલમાં ટેન્કર ચાલકો દ્વારા ગત સોમવાર રાત્રે તેમજ એક દિવસ બાદ બુધવારની રાત્રે પુન: કેમીક્લ જથ્થો નાંખવામાં આવ્યો હતો. સ્થાનિક ખેડૂત વિનુભાઈ પરમારના જણાવ્યા મુજબ અગાઉ કેનાલમાં નિકાલ કરાયેલ કેમીકલ આછું રતાશ રંગનું હતું. પરંતુ શનિવાર સવારે વહેતા પાણીમાં કેમીકલ ઘેરા લીલા રંગનું હતું.
આસપાસના ગામોમાંથી અહીં નંખાય છે

