- Gujarati News
- National
- Ahmedabad News What Did You Do To Raise Awareness Of Corona Corporates Kill 2 Percent Of People Coroners 055114
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના અંગે જાગૃતિ માટે તમે શું કર્યું?: કોર્પોરેટર માંડ 2 ટકા લોકો કોરોનાથી મરે છે : અધિકારીઓ
કોરોના સામે લોકોમાં જાગૃતિ લાવવા મ્યુનિ. આઈસોલેશન વોર્ડ સહિતના પગલાંની વાતો કરે છે. પરંતુ હેલ્થ કમિટીની બેઠકમાં ભાજપના સિનિયર કોર્પોરેટર અને કમિટીના સભ્ય બિપીન પટેલે પૂછેલા પ્રશ્નનો જવાબ તંત્ર આપી શક્યું ન હતું. તેમણે પૂછ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકાર કોરોના અંગે ગંભીર છે ત્યારે લોકોમાં જાગૃતિ માટે તમે શું કર્યું? અધિકારીઓએ જવાબ આપ્યો હતો કે, દુનિયામાં માંડ 2 ટકા મૃત્યુ કોરોનાને કારણે થયા છે. તેઓ પ્રેઝન્ટેશનની વાત કરવા લાગ્યા હતા. મેં તેમને ફરી પૂછ્યું કે, તમે ગ્રાઉન્ડ ઉપર શું કામ કર્યું? જેનો અધિકારીઓએ માત્ર એટલો જવાબ આપ્યો કે અમે 3 હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કર્યા છે.
મ્યુનિ.ની હેલ્થ કમિટી જ લોકજાગૃતિનાં પગલાં અંગે અંધારામાં
લૂલો બચાવ
મ્યુનિ.એ છાણ ઉપાડવાનું બંધ કર્યું: કેટલાક વિસ્તારમાં મ્યુનિ. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પાલતુ પશુનું છાણ ઉપાડવાનો ઇન્કાર કરતાં વિવાદ થયો છે. હેલ્થ કમિટીમાં આ અંગે પ્રશ્ન પૂછાયો હતો. આ ઉપરાંત કચરો નહીં ઉપાડવાની પણ ફરિયાદો છે.