વાહનનીઆરસીબુકમાં કંપનીના કર્મચારીની ભૂલના કારણે સુધારો કરાવવાની ફરજ પડે તો અરજદારને કોઇ ફી ચૂકવવાની થતી નહીં હોવાની અગાઉ રાજ્યના વાહનવવ્યવાહર મંત્રીએ જાહેરાત કરી હોવા છતાં રાજ્યની વિવિધ આરટીઓમાં આરસીબુકની કંપની બિન્દાસ્તપણે ચાર્જની વસૂલાત કરે છે.
આરટીઆઇમાં બહાર આવેલી વિગત મુજબ રાજ્યની 10 જેટલી આરટીઓએ છેલ્લા ચાર વર્ષમાં સવા કરોડ જેટલી રકમ વસૂલી છે. 37માંથી ચાર આરટીઓએ જવાબ આપવા ઇન્કાર કર્યો છે. જ્યારે દસ આરટીઓએ કોઇ જવાબ આપ્યો નથી.
રાજ્યના વાહનવ્યવહાર મંત્રી જાહેરાત કરે પછી પણ કંપનીઓ બિન્દાસ્તપણે ચાર્જ વસૂલતી હોવાનું વારંવાર બહાર આવ્યું છે. તેમછતાં રાજ્યની વાહનવ્યવહાર સચિવ કે કમિશનર કોઇ પ્રકારના પગલાં ભરતા નથી. એટલું નહીં નિયમ વિરુદ્ધ દંડનો ભોગ બનનાર અરજદારો આરટીઆઇમાં માહિતી માંગે તો પૂરતી માહિતી પણ આપવામાં આવતી નહીં હોવાનો રોષ વ્યક્ત કરતા આરટી એક્ટિવિટસ તુલસીદાસ કે ઠક્કરે જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓ નામ-સરનામા સહિત કોઇ નાની-મોટી ભૂલ કરે છે અને ભૂલ સુધારવા માટે અરજદારને રૂપિયા 200 ચૂકવવા પડે છે. રકમ તો આરટીઓમાં આપવાની છે. સિવાય એજન્ટને આપવાની થતી રૂપિયા 100થી લઇ 300 સુધીની રકમ અલગ ખર્ચવી પડે છે. આમ અરજદારને 500 સુધીનો ખર્ચ થાય છે. સૂત્રો કહે છે કે સરકારના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી હોવા છતાં આરટીઓ અધિકારીઓ તેમની જવાબદારી નિભાવતા નહીં હોવાથી અરજદારો પાસે ખોટી ફી વસૂલાય છે. બીજીતરફ કંપની પોલ ખૂલી પડી ના જાય તે માટે માહિતી નહીં આપી વાહનવ્યવહાર વિભાગ અરજદારોનો અવાજ દબાવી દેવા માંગતું હોવાનો પણ આરટી એક્ટિવિટ્સે આક્ષેપ કર્યો છે. કારણે 37માંથી 27 આરટીઓએ તો જવાબ આપ્યો નથી.
આરટીઓ રકમ
વડોદરા53,90,200
સુરત44,83,000
ભાવનગર10,05,600
મહેસાણા6,95,200
વલસાડ6,60,000
દાહોદ7,400
નવસારી1,18,600
વ્યારા1,16,800
ગીર-સોમનાથ25,800
વઘઇ-આહવા5,000
કંપનીની ભૂલ હોય તો સુધારો ફ્રીમાં કરવો પડે
^વાહનનીઆરસીબુક કે લાઈસન્સમાં કંપનીના કર્મચારીથી ભૂલ થઇ હોય તો અરજદારે સુધારો કરાવવા કોઇ ફી ચૂકવવાની રહેતી નથી. કંપની પણ કોઇ પ્રકારનો ચાર્જ લઇ શકે નહીં. કંપની ચાર્જ લેતી હોય તો અરજદાર વાહનવ્યવહાર કમિશનરને ફરિયાદ કરી શકે છે. > વલ્લભકાકડીયા, વાહનવ્યવહારમંત્રી
10 ROTએ 4 વર્ષમાં આટલી રકમ વસૂલી
RC બુકમાં સુધારાનો ચાર્જ નથી, 10 RTOએ 1.25 કરોડ વસૂલ્યા