- Gujarati News
- National
- Ahmedabad News Controversy With Notice To Ayurvedic Physicians Instead Of Bogus 055045
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોગસના બદલે આયુર્વેદિક તબીબોને નોટિસથી વિવાદ
બોગસ ડોક્ટરોની પાછળ પડેલા મ્યુનિ. આરોગ્ય તંત્રે આયુર્વેદિક તબીબોને પણ બોગસ ડોક્ટર તરીકે પગલા કેમ ન લેવા તેવી નોટિસ પાઠવી દેતા વિવાદ ઊભો થયો છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને સ્પષ્ટતા કરી કે, આ નોટિસ ભૂલથી અપાઈ છે. બીએએમએસ તબીબોને નોટિસ ન આપવા તંત્રને સૂચના અપાઈ છે. પૂર્વ ઝોનના 5 અને ઉત્તર ઝોનના 12 જેટલા આયુર્વેદિક તબીબોને મ્યુનિ.ના આરોગ્ય વિભાગે બોગસ તબીબની નોટિસ આપતાં મોટો વિવાદ ઊભો થયો છે. ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસીનના પ્રમુખ ડો. હસમુખ સોની અને ડો. અમીત નાયકે આ મામલે પુર્વ અને ઉત્તર ઝોનના આરોગ્ય અધિકારીને રજૂઆત કરી છે. ત્યારબાદ અધિકારીએ સ્વીકાર્યું કે, તેમને ખોટી રીતે નોટિસ અપાઈ છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે નોટિસનો જવાબ આપવો પડશે.
ભૂલથી નોટિસ અપાઈ: સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન