- અગાઉ દસ વખત આ રીતે મોંઘા દાગીના લાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું
કાપડ નિર્મિતીના ક્ષેત્રમાં આગેવાન સિયારામ સિલ્ક મિલ્સના સંચાલક અભિષેક પોદ્દારનાં પત્ની અને વિહારી જવેલ્સનાં સર્વેસવૉ વિહારી શેઠની જામીન અરજી પર ૨૨ઓગસ્ટે ફેંસલો થવાનો હોવાથી ત્યાં સુધી તેમને કસ્ટડીમાં જ રહેવું પડશે.
૩૦ જુલાઈના મધરાત્રે દાગીનાની તસ્કરીના આરોપ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. વિહારી અંતર્વસ્ત્રોમાં રૂ. ૨.૫ કરોડના દાગીના છુપાવી લાવ્યાં હોવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ૩ ઓગસ્ટે અગાઉ કોર્ટે તેમના જામીન નકાર્યા હતા. આ પછી ગુરુવાર ૮ ઓગસ્ટી ફરી એક વાર તેમણે જામીન માટે અરજી કરી હતી. જોકે ડીઆરઆઈના અધિકારી સુનાવણીમાં આવ્યા ન હોવાથી કોર્ટે સુનાવણી ૨૨ ઓગસ્ટ પર મોકૂફ રાખી છે.
મહેસૂલ સંચાલનાલય (ડાયરેકટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલજિન્સ)ના અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર વિહારી શેઠની ધરપકડ કરાઈ હતી. તેઓ આ રીતે દસ વખત મોંઘા દાગીના લાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. વિહારીનું સાંતાક્રુઝ સ્થિત ગ્રાન્ડ હયાત હોટેલમાં વિહારી જવેલ્સ નામે મોંઘા દાગીનાની દુકાન છે. આ જ દુકાન માટે તસ્કરી કરી હોવાનું ડીઆરઆઈનું કહેવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.